પીએમ મોદી ચૂંટણી પ્રચારના ભાગરૂપે યૂપીના પ્રતાપગઢ પહોચ્યા હતા. અહીં પીએમ મોદી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા બસપા પર આકરા પ્રહાર કર્યા..
પ્રિયંકા ગાંધીનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે, પોતાને નંબર વન ગણાવતી પાર્ટી હવે વોટ તોડવા પર ઉતરી આવી છે.
આ કોંગ્રેસના પતનાના પુરાવા છે. મોદીની મહેનત, ઈમાનદારી, દેશભક્તિ પર ડાઘ લગાવી શકશે નહીં. મોદી ભારતમાતાની ધૂળ ખાઈને મોટા થયા છે. કેટલાક લોકો મને પાડી દેવા માગે છે. પણ મને પાડી દેવામાં પોતે પડી ગયા. દેશ ભૂલ માફ કરી શકે પણ વિશ્વાસઘાતને નહીં.
મને હરાવવાના સપના છોડી દો, તો સપા બસપાના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે,, મહામિલાવટનો પંજો ખૂબ જ ખતરનાક છે. પહેલો ખતરો ભ્રષ્ટાચાર, બીજો ખતરો અસ્થિરતા, ત્રીજો ખતરો જાતિવાદ અને ચોથો ખતરો વંશવાદ.