વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. આજે 10 વાગે તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચીને તેઓ હેલીકોપ્ટર મારફતે જૂનાગઢ પહોંચીને વિશાળ જનમેદનીને સંબોધી હતી, ત્યારબાદ તેઓ બારડોલી લોકસભાના સોનગઢ ખાતે ભાજપની ચૂંટણી સભાને સંબોધી હતી.
સોનગઢમાં યોજાયેલી ભાજપની વિજય ટંકાર રેલીમાં પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસ પર ખુબ ગરજ્યા છે. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, મોરારજી દેસાઈની જેમ કોંગ્રેસને મારી સાથે પણ વાંધો પડ્યો છે. તેથી જ તમામ સાથે મળીને મોદીને હટાવવાની વાત કરે છે, પરંતું અમે ગરીબી હટાવવાની વાત કરીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો કાશ્મીરમાંથી સુરક્ષાબળોને હટાવવાની વાત કરે છે, કોંગ્રેસ પાકિસ્તાનને જે જોઈએ તે પુરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમને અહીં વારંવાર લોકોને પોતાની હામાં હા પુરાવવા માટે ભાષણને દોહરાવતા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ જવાનો પર ભરોસો અને વિશ્વાસ મૂકવાના બદલે સબૂતો પર વિશ્વાસ રાખે છે. તેમને કહ્યું કે, આજે નહેરૂના કારણે કાશ્મીરનો મુદ્દો ઉકેલાયો નથી. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સરદાર સાહેબની નીતિ વિરુદ્ધ છે. તેમને કહ્યું કે, આજે દેશમાં ટૂકડા કરનારી ગેંગ ઉભી થઇ છે.
તેમને સરદાર પટેલને યાદ કરીને કહ્યું હતું કે, જો કોંગ્રેસે સરદાર સાહેબ સાથે અન્યાય ના કર્યો હોત તો આજે હિન્દુસ્તાનની છબી અલગ હોત. તેમને કહ્યું કે, દેશના ટુકડે ટુકડે કરવાની વાત કરનારાને તમે દેશદ્રોહી કહો કે ન કહો, આમ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે રાષ્ટ્ર દ્રોહનો કાયદો કાઢી નાંખીશું. જો આજે સરદાર સાહેબ જીવતા હોત તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને કદી સ્વીકાર ના કરત. તેમને મઝાકિયા સ્વભાવમાં કહ્યું કે, જેમ સરદારથી કોંગ્રેસને વાંધો હતો, તેમ કોંગ્રેસને મારી સામે પણ વાંધો પડ્યો છે. તેઓ આજે પણ મને પતાવવાના સપના જોઇ રહ્યા છે.
મોદીએ કહ્યું કે આજે દેશમાં મંદિર બહાર પોલીસ રાખવી પડે છે, કરોડો રૂપિયા સુરક્ષા પાછળ ખર્ચવા પડે છે, હવે આવા આતંકવાદને ખત્મ કરવો પડે કે ન કરવો પડે. પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ કેન્સર જેવું છે, આતંકવાદ જન્મ્યો એમના જમાનામાં વકર્યો એમના જમાનામાં. આપણે પાંચ વર્ષ બદનામીની પરવાહ કર્યા વગર આતંકવાદની પરવાહ કર્યા વગર કામ કર્યુ, મારા સિવાય આતંકવા કોણ ખત્મ કરે? દેશમાં એક નામ હોય તો બતાવો. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ જ્યાં પણ જાય છે, ત્યાં મોદી હટાવો મોદી હટાવો કહે છે. જે લોકો મને હટાવવામાં પડ્યા હતા, તે આજે એકબીજાને હટાવવામાં પડ્યા છે. અમે ડંકાની ચોટ પર 5 વર્ષ પુરો કર્યા છે. કોંગ્રેસ મોદી હટાવવાની વાત કરે છે, પરંતુ મોદી ગરીબી હટાવવાની વાત કરે છે.
પીએમ મોદીએ અહીં પણ પાણીની વાત કરતા કહ્યું હતું કે અમારી સરકારમાં અલગથી પાણીનું મંત્રાલય બનશે. તેમને આદિવાસીઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આદિમાનવથી આદિવાસીઓ છે, જેથી અમારી સરકારમાં તેમના વિકાસ માટે અલગથી મંત્રાલય બનશે. તેવી રીતે પોરબંદરના માછીમારો માટે અલગથી મંત્રાલય બનશે. કોંગ્રેસે દેશને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. મોદીએ કહ્યું કે, નોટબંધીથી કોંગ્રેસને અકડામણ થાય છે. તેમને ખેડૂતોને લઇને જણાવ્યું કે, પહેલા યૂરિયા ખાતરની ચોરી થતી હતી, પરંતુ અમારી સરકારમાં યૂરિયા ખાતર સરળતાથી અને સસ્તુ મળી રહે તેવા પ્રયાસ થયા. અમારી સરકારમાં બિયારણો, દવાઓ પણ સરળતાથી મળી રહે છે. મોદીએ કહ્યું કે, અત્યાર સુધી 5 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા પહોંચી ગયા છે, અને આગામી સમયમાં પણ પૈસા પહોંચતા જ રહેશે. અને હાલ પણ પહોંચાડવાનું ચાલું જ છે.
પીએમ મોદીએ ખડૂતોની વાત કરતા જણાવ્યું હતું કે, આપણા દેશનો અન્નદાતા વીજળીદાતા બને તે દિશામાં અમારી સરકારે પુષ્કળ કાર્યો કર્યા છે.આપણે નીમ કોટિંગ શરુ કર્યું જેથી યુરિયા માટેની અછત દૂર થઇ છે. પહેલાની સરકારોમાં યૂરિયામાં ચોરી થતી હતી. પરંતુ અમે યૂરિયા ખાતર, બિયારણો અને દવાઓ સરળતાથી મળે રહે તેવા પ્રયાસો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ પાર્ટી મધ્યમ વર્ગની દુશ્મન છે. તેમણે 50 પાનાનો ઢંઢેરો બહાર પાડ્યોમાં એમાં ક્યાંય મધ્યવર્ગનો ઉલ્લેખ જ નથી. એ લોકો એવું કહે છે, મધ્ય વર્ગ પાસેથી પૈસા પડાવી અને તમારી રાજનીતિ કરવાની છે.
કોંગ્રેસે ગુજરાતના ત્રણ દિકરાઓ સાથે અન્યાય કર્યો છે. જે આગામી સમયમાં જનતા રસ્તો દેખાડી દેશે. મોદીએ આયુષ્યમાન ભારતની યોજના વિશે જણાવ્યું હતું કે, ગરીબ લોકો આ યોજનાનો ભરપૂર લાભ લઇ રહ્યો છે. આજે મોદી સરકારમાં ઉજ્જવળા યોજના હેઠળ ચૂલો સળગાવાનું બંધ થઇને ગેસ ઘરે ઘરે પહોંચ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓને ગેસની સુવિદ્યા આપી છે. પીએમ મોદીએ નવા મતદારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જીવનમાં પહેલી વખત વિમાન કે રેલગાડીમાં બેઠા હોય તોયાદ રહે કે ના રહે, મુંબઇ ગયા હોય તો યાદ રહે કે ના રહે, તો તમારા માટે તમારા મતથી દેશમાં એવી સરકાર બનાવો કે, મજબૂત હોય, તે હંમેશાં યાદ રહે. માટે તમે પહેલી વખત મતદાર યાદગાર બની રહે તેવું કરો.
પીએમ મોદીના સંબોધન પહેલા ત્યાં સ્થાનિક નેતાઓએ પોતાના ભાષણ શરૂ કરી દીધા છે. હાલ સોનગઢ ખાતે પીએમ મોદીની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોનગઢમાં મંચ પરથી કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી સમયે જ ગરીબો યાદ આવે છે, આપણા કોઈ પણ ભાઈ બહેને રાહુલ બાબાની ખોટી વાતમાં આવવું નહીં. જૂનાગઢમાં પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કેમ છો? કરીને કરી હતી, તેમને જૂનાગઢમાં કહ્યું હતું કે, આજે હું કામકાજનો હિસાબ આપવા માટે આવ્યો છું. તમારા ગુજરાતના દિકરાએ પાંચ વર્ષમાં સરકાર કેવી રીતે ચલાવી તે જોઇને તમને ગર્વ થાય છે કે? તમારા પુત્ર પર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ દાગ લાગ્યો નથી.