બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM Modi asked ministers for report: How many tiffin meetings were held?

ક્યાં પહોંચ્યું કામ ? / PM મોદીએ મંત્રીઓ પાસે માંગ્યો રિપોર્ટ: મહિનાઓ પહેલા આપ્યા હતા સૂચનો, કેટલી ટિફિન બેઠક કરી ?

Priyakant

Last Updated: 11:48 AM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ પાસેથી ટિફિન બેઠકને લઈ રિપોર્ટ માંગ્યો
  • થોડા મહિના પહેલા મંત્રી પરિષદને કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી
  • હવે વડાપ્રધાન જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ પાસેથી ટિફિન બેઠકને લઈ રિપોર્ટ માંગ્યો છે. મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા મુદ્દાઓ પર મંત્રાલયો અને તેમના વિભાગો પાસેથી જવાબો મંગાવવામાં આવ્યા છે. તેમાં GeM (સરકારી ઈ-માર્કેટ) પોર્ટલનો ઉપયોગ કરવો, અધિકારીઓ સાથે 'ટિફિન' મીટિંગ કરવી અને સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના નિર્ણયોને જાહેર કરવાનો સમાવેશ થાય છે. 

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 'ટિફિન મિટિંગ' ની શરૂઆત કરી હતી. જેમાં ખાણીપીણીને લઈને અધિકારીઓ સાથે બેઠક થતી હોય છે. અધિકારીઓ પોતપોતાના ટિફિન સાથે આ બેઠકોમાં આવે છે અને ભોજન સાથે તેમના વિચારો શેર કાંકરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ મંત્રીઓને સૂચન કર્યું હતું કે, કેન્દ્રમાં પણ આવી સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. તેની પાછળનો હેતુ ટીમ ભાવના વિકસાવવાનો અને બોન્ડિંગને મજબૂત કરવાનો છે.

મહત્વનું છે કે, અગાઉ મોદી દ્વારા મંત્રીઓ અને તેમના વિભાગોને જિયોટેગિંગ જેવી સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લીકેજ અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. મંત્રીઓને મહિનામાં ઓછામાં ઓછા એક વખત હોદ્દેદારો સાથે બેઠક યોજવાની સૂચના આપવામાં આવી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓથી  નાગરિકોને કેવી રીતે ફાયદો થશે તે જણાવવા કહેવાયું હતું. આ સાથે મંત્રીઓ પાસેથી ફરિયાદ નિવારણ તંત્રની વિગતો પણ માંગવામાં આવી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મોદીએ શાસનને વધુ કાર્યક્ષમ અને પારદર્શી બનાવવા માટે અનેક અવસરો પર સૂચનો કર્યા હતા. મંત્રીઓને તેમના મંત્રાલયો દ્વારા સરકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ - GeM પોર્ટલ દ્વારા કરવામાં આવતી કોઈપણ ખરીદીની ખાતરી કરવા જણાવ્યું. મોદીએ મંત્રાલયોને અધિકારીઓ સાથે નિયમિત બેઠક કરવાનું પણ સૂચન કર્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ