ચાર ધામ યાત્રામાં ગંદકી સાફ કરવાની PM મોદીની અપીલની અસર જોવા મળી છે. અપીલના બીજા જ દિવસે સોમવારે લોકોએ કેદારનાથમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું.
ચાર ધામ યાત્રામાં ગંદકી સાફ કરવાની PM મોદીએ અપીલ કરી
અપીલના બીજા જ દિ'એ લોકોએ કેદારનાથમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
ભક્તોની આ ભાવના તીર્થસ્થળોની સ્વચ્છતા માટે સૌને પ્રેરણા આપશે.-CM ધામી
PM મોદીએ ગત રવિવારે મન કી બાતમાં ચાર ધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. હવે આ અપીલના બીજા જ દિવસે એટલે કે, સોમવારે તેની અસર જોવા મળી હતી. અપીલ બાદ લોકોએ કેદારનાથમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. જે બાદ હવે PM મોદીએ સરકારની સાથે સ્વચ્છતામાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓની ભાવનાની પ્રશંસા કરી છે.
CM ધામીએ પણ ટ્વિટ કર્યુ છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 89માં મન કી બાત કાર્યક્રમમાં ચાર ધામની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. જેનાથી પ્રોત્સાહિત થઈને આજે સરકારની સાથે સ્વચ્છ ભારત અભિયાનમાં તમામ શ્રદ્ધાળુઓ પોતાનો સહયોગ આપી રહ્યા છે.
हमारे धार्मिक ग्रंथों में कहा गया है कि स्वच्छ व निर्मल स्थान पर ही ईश्वर का वास होता है इसलिए देवभूमिवासी होने के नाते इसके देवत्व और आध्यात्मिक गरिमा को बनाए रखने का भी हमारा कर्तव्य है। pic.twitter.com/0SFHWGNf0J
— Pushkar Singh Dhami (@pushkardhami) May 30, 2022
તેમણે બીજા ટ્વિટમાં લખ્યું, "આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે ભગવાન ફક્ત સ્વચ્છ અને શાંત જગ્યાએ જ રહે છે. તેથી, દેવભૂમિના રહેવાસી તરીકે, તેની દિવ્યતા અને આધ્યાત્મિક ગૌરવ જાળવી રાખવાની પણ આપણી ફરજ છે." CM ધામીએ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવી રહેલી સફાઈનો વીડિયો પણ શેર કર્યો હતો. ભક્તોની આ ભાવના તીર્થસ્થળોની સ્વચ્છતા માટે સૌને પ્રેરણા આપશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે શું કહ્યું?
રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કહ્યું, "મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, જેના કારણે ઘણો કચરો ફેલાયો છે. ઘણી સંસ્થાઓ અને ભક્તોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરીને કચરો સાફ કર્યો." જણાવી દઈએ કે ભૂતકાળમાં કેદારનાથ ધામના માર્ગ પર ગંદકીની તસવીરો સામે આવી હતી. જે બાદ સ્થાનિક પ્રશાસન અને સરકારની આકરી ટીકા થઈ હતી. બીજી બાજુ આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.