વડાપ્રધાન મોદીએ દેશના યુવાન લેખકો માટે ઈન્ડીયા સેવન્ટી ફાઈવ નામની નવી પહેલની જાહેરાત કરી છે.
વડાપ્રધાનની આ પહેલમાં લોકો અને ખાસ કરીને યુવાનોને દેશના શહીદો વિશે લખી શકશે
યુવા લેખકો માટે એક નવા અભિયાનનો પ્રારંભ
આ કાર્યક્રમથી ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા thought leadersનો એક વર્ગ તૈયાર થશે.
યુવાનો દેશના શહીદો વિશે લખી શકશે
વડાપ્રધાનની આ પહેલમાં લોકો અને ખાસ કરીને યુવાનોને દેશના શહીદો વિશે લખી શકશે. પીએમ મોદીએ કહ્યું કે યુવા લેખકો માટે એક નવું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેની મદદથી બધા જ રાજ્યના અને બધી ભાષાના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે.
દેશમાં મોટી સંખ્યામાં ઘણા વિષયો પર લખનારા લેખકો તૈયાર થશે જેમનો ભારતીય વિરાસત અને સંસ્કૃતિ પર ઊંડો અભ્યાસ હશે. આપણે આવી પ્રતિભાઓને મદદ કરવી જોઈએ. અને આ કાર્યક્રમથી ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા thought leadersનો એક વર્ગ તૈયાર થશે.
બીસીસીઆઈએ વડાપ્રધાનનો આભાર માન્યો
પીએમ મોદીએ કહ્યું કે મને મન કી બાતમાં સૌથી સારું એ લાગે છે કે મને ઘણું બધુ શીખવા મળે છે અને વાંચવા મળે છે. એક પ્રકારે પરોક્ષ રૂપે તમારા બધાથી જોડાવવાનો અવસર મળે છે. આપણી ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં ઘણો શાનદાર વિજય મળ્યો છે.
આપણી ટીમે શરૃઆતની અડચણો છતા પણ શાનદાર વાપસી કરીને ઓસ્ટ્રેલિયયન સીરિઝને પોતાને નામે કરી. આપણા ખેલાડીઓના હાર્ડવર્ક અને ટીમવર્ક પ્રેરિત કરનાર છે. બીસીસીઆઈએ ભારતીય ટીમની હિંમત ટકાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.