પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષ પછી સરહદ પાર રેલવે લાઇન શરુ કરવાને લઇને સમજૂતિ બને તેવી આશા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ સાથે અનેક બીજા મુદ્દાઓ પર મહોર લાગી શકે છે.
પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે વર્ચ્યુઅલ બેઠક
ભારત અને બાંગ્લાદેશ 5 મહત્વના મુદ્દાઓ પર લાગી શકે છે મહોર
55 વર્ષ બાદ ફરી શરુ થઇ શકે છે બંને દેશ વચ્ચે રેલ વ્યવહાર
સૂત્રોના જણાવ્યાં અનુસાર આસામ અને પશ્ચિમ બંગાળ સાથે બાંગ્લાદેશ સાથે સારા સંબંધ માટે ચિલહાટી-હલ્દીવાડા રેલવે માર્ગનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા છે.
આ સાથે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીના અવસર પર બંને પ્રધાનમંત્રી એક સ્મારક પોસ્ટ ટિકિટ જાહેર કરી શકે છે. સૂત્રોને મળતી માહિતી મુજબ સંમેલન દરમિયાન પાંચ સમજૂતિ થવાની આશા છે.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષ બાદ ફરી રેલવે માર્ગ ખોલવામાં આવી શકે. જેને લઇને આજે પીએમ મોદી અને બાંગ્લાદેશ પીએમ શેખ હસીના પશ્ચિમ બંગાળની હલ્દીબાડી અને બાંગ્લાદેશની ચિલ્હાટી રેલ માર્ગનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા છે.
કૂચ બિહારના હલ્દીવાડીથી ઉત્તરી બાંગ્લાદેશના ચિલ્હાટી સુધી રેલવે લાઇન ભારત અને પછી પૂર્વી પાકિસ્તાન વચ્ચે 1965માં રેલ સંપર્ક તૂટી ગયા બાદ ખરાબ થઇ ગયો હતો. NFR ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાષ ચંદાએ કહ્યું પીએમ નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશના સમકક્ષ શેખ હસીના આજે હલ્દીબાડી-ચિલ્હાટી રેલ માર્ગનું ઉદ્ધાટન કરે તેવી સંભાવના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે આજે યોજાનારી વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં અન્ય 5 સમજૂતિ પર મહોર વાગી શકે છે. આ સિવાય બાંગ્લાદેશના રાષ્ટ્રપિત બંગબંધુ શેખ મુજીબુર રહેમાન જન્મ શતાબ્દી અવસર પર બંને દેશોના પ્રધાનમંત્રી સ્મારક પોસ્ટ ટિકિટ જાહેર કરી શકે છે.
એક અધિકારીના જણાવ્યાં અનુસાર મહાત્મા ગાંધી અને મુજીબુર રહેમાન અલગ-અલગ સમયમાં જન્મ્યાં હતા અને તેઓને અલગ-અલગ વિરોધોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બંને નેતાઓએ પોતાના દેશના લોકોની ભલાઇ માટે પોતાના જીવનની પરવાહ કરી નહોતી બંગબંધુ-બાપૂ ડિજીટલ પ્રદર્શની નવી દિલ્હી અને ત્યારબાદ બાંગ્લાદેશના અલગ અલગ શહેરમાં શરુ કરવામાં આવશે. આ પ્રદર્શની સમાપન 2022માં કોલકતા ખાતે થશે.