ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે 92 વર્ષના થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા.. ત્રણેય નેતાઓએ લાલ કૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
ભાજપના વરિષ્ઠ નેતાનો જન્મ દિવસ
લાલ કૃષ્ણ અડવાણીનો આજે 92મો જન્મ દિવસ
PM સહિત અનેક નેતાઓએ ઘરે જઈને પાઠવી શુભેચ્છા
Delhi: PM Narendra Modi meets senior BJP leader LK Advani at the latter's residence on his 92nd birthday. Vice President Venkaiah Naidu, BJP President Amit Shah and BJP working President JP Nadda also present. pic.twitter.com/jBO6r3S4Xw
PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું આવું
વિદ્રાન, રાજનીતિજ્ઞ અને સૌથી આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી ભારત હંમેશા આપના અભૂતપૂર્વ યોગદાનને યાદ રાખશે. અડવાણીજીએ ભાજપને આકાર અને તાકાત આપવા માટે દશકો સુધી પરિશ્રમ કર્યો છે.
Shri LK Advani Ji toiled for decades to give shape and strength to the @BJP4India. If over the years, our party has emerged as a dominant pole of Indian politics, it is because of leaders like Advani Ji and the selfless Karyakartas he groomed for decades.
#WATCH: PM Narendra Modi meets senior BJP leader LK Advani at the latter's residence on his 92nd birthday. Vice President Venkaiah Naidu, BJP President Amit Shah and BJP working President JP Nadda also present. #Delhipic.twitter.com/zUvVVQJMvg
ભાજપના અધ્યક્ષ અમિત શાહે કર્યું આવું ટ્વિટ
પોતાના અથાગ પરિશ્રમ અને સંગઠનની કુશળતાની સાથે ભાજપને એક રાષ્ટ્રિય સ્વરૂપ આપનારા સૌના આદરણીય અને ભારતના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છાઓ. ઈશ્વર આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.
आडवाणी जी का पूरा जीवन राष्ट्र के विकास और कल्याण के लिए समर्पित है। अपनी अद्भुत नेतृत्व क्षमता से उन्होंने न सिर्फ पार्टी की एक मजबूत नींव रखी बल्कि लाखों कार्यकर्ताओं को भी प्रेरित किया। सरकार में रहते हुए आडवाणी जी ने राष्ट्रहित सर्वोपरि मान भारत को नयी गति देने का काम किया।
મમતા બેનર્જીએ તંદુરસ્તીને લઈને કહી આ વાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લાલ કૃષ્ણ અડવાણીના 92મા જન્મદિવસે હાર્દિક શુભકામના આપી હતી. બેનર્જીએ ટ્વિટ કરીને પૂર્વ ઉપ પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવનની કામના કરી. તેઓએ ટ્વિટ કર્યું કે લાલ કૃષ્ણ અડવાણીજીને જન્મ દિવસની શુભકામના. હું તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.