રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યાં. સરકાર તરફથી ગત દિવસોમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી, જેનાપર હજુ પણ મંથન કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા પુરુ કરી શકાય છે. પીએમને કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઇએ.
નવી શિક્ષણ નીતિ પર PM મોદીએ કહ્યું કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાતચીત કરવામાં આવી. જેમાં વિદ્યાર્થી-શિક્ષક-અભિભાવક (વાલી) પણ સામેલ હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે કોઇપણને આ નીતિ પોતાની લાગી રહી છે, જે સૂચન લોકો જોવા ઇચ્છતા હતા તે દેખાઇ રહ્યાં છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઇને દેશમાં તેને લાગુ કરવા પર સંવાદ યોજાઇ રહ્યાં છે, આ એટલા માટે જરૂરી છે કે આ નીતિથી 21મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.
The #NewEducationPolicy focuses on learning instead of studying and goes ahead of the curriculum to focus on critical thinking. In this policy, we have stressed on passion, practicality and performance: PM Modi at Governor's Conference pic.twitter.com/9rUfKtXuCS
PM મોદીએ પોતાના સંબોધન કહ્યું કે આજે દુનિયામાં નોકરીઓને લઇને ચર્ચા થઇ રહી છે, એવામાં શિક્ષણ નીતિને જ્ઞાન અને સ્કિલ પર તૈયાર કરશે. આ નીતિ ન્યૂ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનને પુરુ કરશે.
પીએમ મોદીએ જણાવ્યું કે લાંબા સમયથી આ માગ સામે આવી રહી હતી કે બાળકો બેગ અને બોર્ડની પરીક્ષાને લઇને દબાવમાં જોવા મળે છે, એવામાં હવે આ ભારને ઓછો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે કોઇપણ વિદ્યાર્થી કોઇપણ પ્રવાહ (સ્ટ્રીમ)ને ક્યારેય પણ લઇ શકે છે અને છોડી શકે છે.
देश की आकांक्षाओं को पूरा करने का महत्वपूर्ण माध्यम शिक्षा नीति और शिक्षा व्यवस्था होती है।शिक्षा व्यवस्था की जिम्मेदारी से केंद्र , राज्य सरकार, स्थानीय निकाय, सभी जुड़े होते हैं। लेकिन ये भी सही है कि शिक्षा नीति में सरकार, उसका दखल, उसका प्रभाव, कम से कम होना चाहिए: पीएम मोदी https://t.co/ckNiD2DJ1gpic.twitter.com/03WufW6frk
PM મોદીએ કહ્યું કે દેશમાં સારા કેમ્પસ યોજાશે, જેનાથી વિદેશમાં ભણવા જવાના પ્રયત્નો ઓછા થશે. આ સાથે જ પ્રયત્ન કરવામાં આવ્યાં છે કે ઓનલાઇન ભણતરને પ્રોત્સાહન મળે. પીએમ મોદીએ કહ્યું કે જેવી રીતે વિદેશ નીતિ કોઇ સરકારની નહી પણ દેશની હોય છે, આ શિક્ષણ નીતિ પણ કોઇ સરકારની નહીં પરંતુ દેશની શિક્ષણ નીતિ છે.
પીએમ મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ભણાવા કરતા શીખવા પર વધુ ફોકસ કરે છે અને પાઠ્યક્રમથી વધારે આગળ વધીને વધારે વિચારવા પર જોર આપે છે.