PM Kisan Yojana હેઠળ રજીસ્ટર્ડ કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂત ખૂબ જ ઓછા વ્યાજ પર લોન લઈ શકે છે.
PM Kisan Yojana નો 9માં હપ્તો જાહેર
સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને સસ્તા દર પર લોન આપે છે
બેન્કમાંથી ખૂબ જ ઓછા વ્યાજદરે લોન મળે છે
કેન્દ્ર સરકારે હાલમાં જ PM Kisan Yojana નો 9માં હપ્તો જાહેર કર્યો છે. સરકારની આ યોજનાનો લાભ દેશના કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. જણાવી દઈએ કે સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને સસ્તા દર પર લોન આપી રહી છે. હકીકતે આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ પીએમ કિસાન સન્માન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પરસ્પર લિન્ક છે. આજ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પર સરકાર ખેડૂતોને સસ્તા ભાવ પર લોન ઉપલબ્ધ કરાવી રહી છે.
વ્યાજદર છે ખૂબ જ ઓછું
ખેડૂતોને પાકની વાવણી કરવા માટે બેન્કમાંથી ખૂબ જ ઓછા વ્યાજદરે લોન મળે છે. આ લોકન ખેડૂત ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોકો વગર ગેરેન્ટીએ આપવામાં આવી રહી છે. ત્યાં જ 5-3 લાખ રૂપિયાની શોર્ટ ટર્મ લોન ફક્ત 4 ટકાના વ્યાજદર પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકાર આ લોન પર 2 ટકા સબ્સિડી આપી રહી છે. ત્યાં જ સમય પર લોન ચુકવવા પર 3 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. આ રીતે લોન ફક્ત 4 ટકા પર મળી રહી છે પરંતુ જો લોન ચુકવવામાં મોડુ થાય છે તો આ લોનનું વ્યાજદર 7 ટકા વધી જાય છે.
કઈ રીતે બનાવી શકાય કિસાન ક્રેડિટ કાર્ડ?
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમે જમીન માપણી અને બીજા જરૂરી કામકાજ પૂર્ણ કરો
ત્યાર બાદ બેન્ક જઈને મેનેજરને મળીને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની માંગ કરો.
અહીં ધ્યાન રાખો કે કિસાન ક્રેડિટ કાર્ડ કોઈ પણ ગ્રામીણ બેન્કથી બનાવડાવો તેમાં સરકારની તરફથી ઈનસેન્ટિવ વગર આપવામાં આવતા હોય જેનો ખેડૂતોને ફાયદો મળે છે.
ત્યાર બાદ બેન્ક મેનેજર પોતાના વકીલની પાસે મોકલશે અને જરૂરી જાણકારીઓ લેશે,
ત્યાર બાદ તમારે બેન્કમાં જઈને એક ફોર્મ ભરવાનું રહેશે.
તેની સાથે અમુક કાગળની કાર્યવાહી કરવાની રહેશે. જ્યાર બાદ તમારુ કિસાન ક્રેડિટ કાર્ડ બની જશે.
તેમાં લોનની સુવિધા કેટલી મળશે તે એ વાત પર નિર્ભર કરે છે કે તમારી જમીન કેટલી છે.