બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm cares children scheme you can get 10 lakh rupees

જલ્દી કરો / આ સરકારી યોજના અંતર્ગત બાળકોને મળશે રૂપિયા 10 લાખ, ફટાફટ આ તારીખ પહેલાં અરજી કરી લો નહીંતર....

Dhruv

Last Updated: 07:59 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે સૌ કોઇએ જોયું હશે કે, કોરોના મહામારીમાં અનેક લોકો પોતાના પરિવારજનો ખોઇ ચૂક્યાં છે. કેટલાંય બાળકો પોતાના માતા-પિતાને ગુમાવતા અનાથ થઇ ગયા છે એવામાં કેન્દ્ર સરકાર આવાં બાળકો માટે 'પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ' નામની અનોખી યોજના લાવી છે.

  • બાળકોને દર મહિને આપવામાં આવશે રૂપિયા 2,000
  • બાળકોની દેખરેખ માટે પણ દર  મહિને અપાશે 2,160 રૂ.
  • 'પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ' નામની યોજના હેઠળ મળશે લાભ

આ યોજનામાં બાળકોને 23 વર્ષ થતા એકસાથે રૂપિયા 10 લાખની રકમ ઉપલબ્ધ થશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન માટે મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2022 નક્કી કરવામાં આવી છે.

સારસંભાળ માટે મળે છે આટલાં રૂપિયા

મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખ સચિવો, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગોને આ સ્કીમ સાથે જોડાયેલ તમામ આદેશ રજૂ કરી દેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ એવાં બાળકો કે જેમની કોઈ પણ સંસ્થા વિના કાળજી લેવામાં આવી રહી છે. તેઓને દર મહિને રૂપિયા 2,000 આપવામાં આવશે. એ સિવાય ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટ્યુશનમાં રહેનારા તમામ બાળકોની દેખરેખ માટે પણ દર  મહિને રૂપિયા 2,160 આપવામાં આવશે.

પુસ્તકો અને ડ્રેસનો પણ ખર્ચ ઉઠાવે છે સરકાર

વાસ્તવમાં, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5  લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ