કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સમગ્ર વિશ્વ હવાતીયા મારી રહ્યું છે જો કે હજું સુધી કોરોનાનો અંત આવ્યો નથી. ત્યારે હવે પંજાબમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે પંજાબમાં વધતા કેસને લઇ આજથી રેપિડ એન્ટિઝન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ પ્લાઝ્મા બેંકને કેપ્ટન અમરિંદર સિંહ મંજૂરી આપી છે.
પંજાબમાં કોરોનાથી સૌથી પ્રભાવિત જિલ્લામાં આજથી રેપિડ એન્ટિઝન ટેસ્ટ
પંજાબમાં પ્લાઝ્મા થેરેપી દ્વારા કરવામાં આવી રહી છે સારવાર
ગંભીર દર્દીઓ માટે પ્લાઝ્મા બેંકમાંથી પ્લાઝમા મળી રહેશે
પંજાબમાં વધતા કેસને લઇ આજથી રેપિડ એન્ટિઝન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પ્લાઝ્મા બેંકને મંજૂરી
આપી છે. પંજાબમાં કોરોનાથી સૌથી પ્રભાવિત જિલ્લામાં આજથી રેપિડ એન્ટિઝન ટેસ્ટની કાર્યવાહી શરુ કરવામાં આવશે.
કોરોનાની રસી નથી શોધાઈ તેમજ તેની કોઈ દવા શોધાઈ નથી ત્યાં ત્યારે પ્લાઝમાં થેરાપી અસરકારક સાબિત થઈ રહી છે. જેને પગલે દિલ્હીમાં પહેલી પ્લાઝમાં બેંક શરુ કરવામાં આવી છે. એ બાદ હવે પંજાબમાં પણ પ્લાઝમાં બેંકને મંજૂરી મળતા લોકોને રાહત મળવાની આશા છે.
પંજાબમાં પણ પ્લાઝ્મા થેરેપી દ્વારા કરવામાં સારવાર કરવામાં આવી રહી છે. ગંભીર દર્દીઓ માટે પ્લાઝ્મા બેંકમાંથી પ્લાઝમા મળી રહેશે. જેનાથી
ગંભીર દર્દીને પ્લાઝમા થેરેપી દ્વારા જીવનદાન આપવા પ્રયાસોમાં સફળતા મળે તેવી આશા સેવાઈ રહી છે.