વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ છોડને વાવવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ થાય છે. સાથે જ પરિવારમાં સુખ-શાંતિ ઉપરાંત આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.
ઘરમાં થાય છે લક્ષ્મીનો વાસ
આર્થિક મુશ્કેલીઓ થાય છે દૂર
ઘરમાં આવે છે સુખ તથા સમૃદ્ધિ
છોડવાઓ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી પણ શુભ માનવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, અમુક છોડવાઓ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે સકારાત્મક ઉર્જાનો પણ સંચાર કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અમુક છોડને વાવવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ પણ થાય છે. સાથે જ પરિવારમાં આર્થીક સમૃદ્ધિ પણ આવે છે. આવામાં શું તમે જાણો છો કે ક્યાં 5 છોડ ઘરમાં વાવવાથી લક્ષ્મીનું આગમન થાય છે?
હળદર (Haldi)
ઘરમાં હળદરનો છોડ વાવવો શુભ માનવામાં આવે છે. આ છોડને વાવવા માટે પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશા શુભ માનવામાં આઅવે છે. ઘરમાં આ છોડને વાવીને નિયમિત પૂજા કરવાથી મનોકામના પૂરી થાય છે.
ક્રાસુલા (Crassula)
ક્રાસુલાને ધનઓ છોડ પણ કહેવાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ છોડને ઘરમાં વાવવાથી ધનથી જોડાયેલ સમસ્યા દૂર થાય છે. ક્રાસુલાને ઘરના પ્રવેશદ્વાર પર અંદરની તરફ વાવવો જોઈએ. સાથે જ તેને તડકા કે છાંયડા ક્યાય પણ મૂકી શકાય છે.
તુલસી (Tulsi)
તુલસીના છોડમાં લક્ષ્મીનો વાસ થાય છે. તુલસીના છોડને વાવીને રોજ પૂજા કરવાથી ઘરમાં સુખ તથા સમૃદ્ધિ આવે છે. સાથે જ માં લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શમી (Shami)
શમીના છોડમાં શનિદેવનો વાસ હોય છે. આ જ કારણ છે કે અધિક ઘરોમાં આ છોડ વાવવામાં આવે છે. આ છોડને ઘરના મુખ્ય દ્વારની ડાબી તથા પૂર્વ દિશામાં વાવવો જોઈએ. શમીનો છોડ ઘરમાં વાવવાથી નોકરી-રોજગારથી સંબંધિત તકલીફો દૂર થાય છે.
વાંસ (Bamboo)
વાંસનો છોડ સુખ-સમૃદ્ધિ માટે સારો માનવામાં આવે છે. નાના આકારના વાંસના છોડને લાલ દોરથી બાંધીને ઇશાન કોણ અથવા ઉત્તર દિશામાં વાવવો જોઈએ. વાસ્તુ અનુસાર વાંસનો છોડ વાવવાથી આર્થિક ઉન્નતી પ્રાપ્ત થાય છે.