બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પિતૃપક્ષ કે શ્રાદ્ધને લઈને અનેક વાતો પ્રચલિત છે. આ સમયે કોઈ શુભ કામ કરાતું નથી અને કેટલાક સમયે શોપિંગને પણ બાધ્ય માનવામાં આવે છે. પરંતુ કેટલાક એવા મૂહૂર્ત છે જેમાં તમે ખરીદી કરો છો તો તે મુશ્કેલી લાવતી નથી. આ વર્ષે આ મૂહૂર્ત 29 સપ્ટેમ્બરે આઠમે બની રહ્યો છે. આ દિવસે મહાલક્ષ્મી વ્રત છે અને જીવંતિકા વ્રત પણ રહેશે.
.jpg)
ADVERTISEMENT
પિતૃપક્ષ કે શ્રાદ્ધમાં શોપિંગના મૂહૂર્ત
28 સપ્ટેમ્બરે સાતમ સાંજે 6.17 સમયે પૂરી થશે અને આઠમ શરૂ થશે. આ દિવસે માતાઓ સંતાનની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. આ સિવાય આ દિવસે મહાલક્ષ્મી વ્રતની પૂજા કરાશે. આ દિવસે 29 સપ્ટેમ્બરે પિતૃપક્ષ કે શ્રાદ્ધમાં હોવા છતાં સોનું, ગાડી, ઘર ની ખરીદી શક્ય છે. આ સિવાય લક્ઝરી વસ્તુઓ પણ ખરીદી શકાય છે. આ સિવાય 26 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે રવિયોગ, 27, 30 સપ્ટેમ્બર અને 6 ઓક્ટોબરે પણ સર્વાર્થ સિદ્ધિયોગ અને 1 ઓક્ટોબરે ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી ખરીદી શક્ય છે.
આ કારણે પિતૃપક્ષ કે શ્રાદ્ધમાં નથી કરાતા શુભકામ
પિતૃપક્ષ કે શ્રાદ્ધમાં લોકો પૂર્વજોને યાદ કરવાની સાથે તેમને ધન્યવાદ આપે છે અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને પૂજા કરે છે. એવામાં 15 દિવસ પિતૃઓને માટે સમર્પિત હોય છે. તમે ફક્ત આ સમયે દાન પુણ્ય કરો તે યોગ્ય છે. આ સમયે પિતૃઓ ધરતી પર આવે છે અને સમ્માન આપીને તેમને યાદ કરીને જીવન પસાર કરવું. આ સિવાય માન્યતા છે કે પિતૃપક્ષ કે શ્રાદ્ધમાં ખરીદેલી ચીજો પિતૃઓને સમર્પિત છે. જો કોઈ નવી ચીજ ખરીદાય તો તેનાથી પિતૃઓને દુઃખ થશે અને તેઓ નારાજ થશે. આ માટે પિતૃપક્ષ ઉત્સવનો નહીં પણ શોક વ્યક્ત કરવાનો સમય છે.

ADVERTISEMENT
શોપિંગની આધુનિક માન્યતા
આધુનિક માન્યતા છે કે શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી કે પિતૃપક્ષ કે શ્રાદ્ધમાં ખરીદી કરવી નહીં. પિતૃપક્ષ ગણેશ ચતુર્થી અને નવરાત્રિની વચ્ચે આવે છે તો અશુભ કેવી રીતે હોઈ શકે. હિંદુ ધર્મમાં માન્યકા છે કે કોઈ શુભ કામનો આરંભ ગણેશપૂજાથી થાય છે અને તે પિતૃપક્ષ પહેલા આવે છે. માટે તે અશુભ નથી, જો પરિજનો મળવા આવે છે તો બાળકો ખુશ ખાય છે અને કોઈ ચીજ ખરીદે છે તો પિતૃઓને ખુશી થશે. માટે આ રીતે તમારી ખુશી સાથે પિતૃઓની ખુશીનું ધ્યાન રાખો. તેમનું સમ્માન કરો અને તમે ઈચ્છો તે શોપિંગ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.