વિમાન દુર્ઘટનાની તપાસ બ્યૂરો AAIBએ ગયા વર્ષે ઓગસ્ટમાં કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ શનિવારે રજૂ કર્યો. તેમાં 20 લોકોના મોત થવાની સાથે અનેક લોકો ઘાયલ થયા હતા.
કેરળના કોઝિકોડમાં એર ઈન્ડિયાનું વિમાન થયું હતું દુર્ઘટનાનો શિકાર
દુર્ઘટનાની તપાસને લઈને AAIBએ આપ્યું આ કારણ
257 પાનાનો રજૂ કરાયો રિપોર્ટ
257 પાનાનો રિપોર્ટ કહે છે કે પાયલટની તરફથી માનક સંચાલન પ્રક્રિયાનું પાલન ન કરવું એ સંભવિત કારણ હોઈ શકે છે. સાથે સિસ્ટમ ફેલ્યોરની ભૂમિકાને પણ અવગણવામાં આવી રહી નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 7 ઓગસ્ટે એર ઈન્ડિયા એક્સપ્રેસનું બી737-800 વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વિમાન દુબઈથી આવી રહ્યું હતું. કોઝિકોડ એરપોર્ટ પર રનવેથી બહાર નીકળ્યું અને દુર્ઘટનામાં તેના ટુકડા થઈ ગયા, વિમાનમાં 190 લોકો સવાર હતા અને બંને પાયલટ સહિત 20 લોકોના મોત થયા હતા તો અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા.
Aircraft Accident Investigation Bureau found in its investigation that the aircraft overran the runway including the Runway End Safety Area, impacted the localiser antenna, approach light, and fell off the tabletop runway.
ઘટનાના એક વર્ષ બાદ જાહેર કરાયો રિપોર્ટ
દુર્ઘટનાના એક વર્ષ બાદ જાહેર કરાયેલો રિપોર્ટ કહે છે કે દુર્ઘટનાનું સંભવિત કારણ પીએફ (પાયલટ ફ્લાઈંગ) દ્વારા એસઓપીનું પાલન ન કરવું હતું. રિપોર્ટના આધારે પાયલટે અસ્થિર દૃષ્ટિકોણ દાખવ્યો અને વિમાનને ઉતારવાના ઝોનથી પહેલા ઉતારી દીધું હતું. અડધા રન વે પર ઉતાર્યું, આમ છતાં પાયલટ મોનિટરિંગે વિમાનને ઉડાવવા માટે કહ્યું હતું.