ઈઝરાઈલમાં કોરોનાની બિમારીને રોકવામાં રસીની અસર 6 જૂને ઘટીને 64 ટકા થઈ ગઈ.
સંક્રમણ અને સિમ્પટોમટિક બિમારીને રોકવામાં રસીની અસર 6 જૂને ઘટીને 64 ટકા થઈ
સ્થિતિને ગંભીર થતી રોકવામાં રસી 93 ટકા અસરદાર સાબિત થઈ
રસી ડેલ્ટા સહિત તમામ વેરિએન્ટનો સામનો કરવામાં સક્ષમ
ઈઝરાયલમાં સંક્રમણ અને સિમ્પટોમટિક બિમારીને રોકવામાં રસીની અસર 6 જૂને ઘટીને 64 ટકા થઈ
ઈઝરાયલે સોમવારે કહ્યું કે ફાયઝર હજું પણ ગંભીર બિમારીને રોકવામાં ઘણી અસરકારક છે. દેશમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સંક્રમણ અને સિમ્પટોમટિક બિમારીને રોકવામાં રસીની અસર 6 જૂને ઘટીને 64 ટકા થઈ ગઈ. જો કે બીજી તરફ સારી વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિને રોકવામાં આ રસી 93 ટકા અસરદાર સાબિત થઈ છે.
રસી ડેલ્ટા સહિત તમામ વેરિએન્ટનો સામનો કરવામાં સક્ષમ
ફોક્સ ન્યૂઝ અનુસાર ફાઈઝરના એક પ્રવક્તાએ જણાવ્યું કે ઈઝરાયલના આંકડા પર કોઈ ટિપ્પણી નથી કરવા માંગતા. પ્રવક્તાએ કહ્યું કે અન્ય રિસર્ચમાં એ સંકેત જોવા મળ્યા છે કે આ રસી ડેલ્ટા સહિત તમામ વેરિએન્ટનો સામનો કરવામાં સક્ષમ છે.
સંક્રમણમાં ઘટાડો આવ્યા બાદ પ્રોટોકોલ્સમાં છૂટ મળી
જો કે મંત્રાલયે એ જાણકારી નથી આપી કે રસીની અસરમાં ઘટાડા રહેલા કોવિડ સંક્રમણની વિરુદ્ધ તે કેટલી અસરકાર હતી. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર મેમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. જેમાં મંત્રાલયે કહ્યું હતુ કે ફાયઝર રસીના બે ડોઝને સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર બિમારીની વિરુદ્ધ 95થી વધારે અસરદાર ગણાવી હતી. ઈઝરાયલની લગભગ 60 ટકા વસ્તીને ફાઈઝરના ઓછામાં ઓછો એક ડોઝ લાગ્યો છે. અહીં જાન્યુારીમાં કોરોનાના મામલામાં 1,00,000 થી વધારે ઘટાડો નોંધાયો છે.
સંક્રમણમાં ઘટાડા બાદ ઈઝરાયલમાં લોકોને માસ્ક સહિત કોવિડના અન્ય પ્રોટોડોલનું પાલન કરવામાંથી છૂટ આપવામાં આવી હતી. જો કે ડેલ્ટા વેરિએન્ટના ફેલાયા બાદ ફરીથી કેટલાક નિયમોને ફરી લાગૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં દેશમાં કોવિડના મામલ અને તેનાથી થનારી મોતની સંખ્યામાં વધારો થયો છે. રવિવારે એટલે કે 4 જૂને દેશમાં 343 મામલા જોવા મળ્યા અને 35 લોકોના મોત થયા છે. બીજી તરફ જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ અત્યાર સુધી દુનિયા ભરમાં 3,220,928,613 લોકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.