મસ્જિદોમાં લાઉડસ્પિકરથી અઝાનના મુદ્દા પર હવે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા અને રાજ ઠાકરે આમને સામને આવી ગયા છે.
મસ્જિદો પર લાઉડસ્પિકર હટાવાને લઈને વિવાદ
PFI અને રાજ ઠાકરે આમને સામને
છંછેડશો તો છોડીશું નહીં
મસ્જિદોમાં લાઉડસ્પિકરથી અઝાનના મુદ્દા પર હવે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા અને રાજ ઠાકરે આમને સામને આવી ગયા છે. PFIએ ઠાકરે અને તેમની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ચેતવણી આપતા કહ્યું છે કે, જો કોઈએ એક પણ લાઉડસ્પિકરને હાથ લગાવવાની કોશિશ કરી છે, તો સૌથી આગળ પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા નજર આવશે. મુંબઈથી અડીને આવેલા ઢાણે ગ્રામિણના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર મુમ્બ્રામાં શુક્રવારે નમાજ બાદ PFIએ મુમ્બ્રા અધ્યક્ષ મતીન શેખાનીએ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં રામનવમીના ઝૂલૂસ દરમિયાન થયેલી હિંસાને લઈને વિરોધ જતાવ્યો હતો.
અમારી ઈચ્છા અમન અને શાંતિની છે
આ અવસર પર મતીન શેખાનીએ કહ્યું કે, અમુક લોકોને અઝાનથી તકલીફ થઈ રહી છે, પણ આવા લોકોને અમે ફક્ત એટલુ જ કહેવા માગીએ છીએ કે, અમારી ઈચ્છા અમન અને શાંતિની છે. શેખાનીએ કહ્યું કે, હું પોલીસને કહેવા માગુ છું કે, અમુક લોકો મુમ્બ્રાના માહોલ ખરાબ કરવા માગે છે. અમુક લોકોને અઝાનથી તકલીફ થઈ રહી છે. અમુક લોકોને અમારા મદરેસા અને મસ્જિદથી તકલીફ થઈ રહી છે. હું એવા લોકોને મેસેજ આપવા માગુ છુ કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ, પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયાનો એક નારો છે, દરેક મજલિસ અમારો છે.
અમને છંછેડશો તો અમે છોડીશું નહીં
શેખાનીએ આગળ કહ્યું કે, જો અમને કોઈએ છંછેડ્યા તો, અમે કોઈને છોડીશું નહીં. તેમણે કહ્યું કે, અમારો એક બીજો પણ નારો છે, અમને છંછેડશો નહીં. અમને છંછેડશો તો અમે છોડીશું નહીં, આ યાદ રાખજો. એક પણ મદરેસા, એક પણ મસ્જિદ, એક પણ લાઉડસ્પિકર પર હાથ લગાવાની કોશિશ કરી તો, સૌથી પહેલા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા નજર આવશે. પ્રોટેસ્ટ ખતમ થયા બાદ પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયાના નેતાઓએ મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં સીનિયર પીઆઈ અશોક નારાયણ કડલકને મેમોરંડમ પણ આપ્યું હતું.