સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરી દીધો છે. કોરોના વાયરસના કારણે લોકો હવે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રાજકોટ શહેરના તમામ પેટ્રોલપંપ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના વાયરસનો ગુજરાતમાં પગપેસારો
આવતીકાલે (રવિવાર) રાજકોટના તમામ પેટ્રોલપંપ બંધ રહેશે
જનતા કર્ફ્યુમાં પેટ્રોલપંપ એસોસિએશન પણ જોડાશે
ગુજરાતમાં પણ કોરોના વાયરસે દસ્તક લીધી છે. દિનપ્રતિદિન ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ સરકાર દ્વારા સ્વંયભૂ કર્ફ્યૂ લગાવાયો છે. ત્યારે રાજકોટ શહેરના પેટ્રોલપંપના સંચાલકોએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલે રાજકોટ શહેરના તમામ પેટ્રોલપંપ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જનતા કર્ફયુમાં પેટ્રોલપંપ એસોસિએશન પણ જોડાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી પેટ્રોલ પંપના માલિકો બંધ પાળશે.
બીજી તરફ ST બસ સ્ટેન્ડમાં મુસાફરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ST બસ સ્ટેન્ડ ખાલીખમ જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે લોકોએ બસમાં મુસાફરી કરવાનું ટાળ્યું છે.
NDRFની ટીમ રાજકોટ પહોંચી
મહત્વનું છે કે, કોરોના વાયરસનો રાજકોટમાં એક કેસ નોંધાયેલ છે. જેને લઇને NDRFની ટીમ રાજકોટમાં પહોંચી છે. 11 સભ્યોની ટીમ રાજકોટમાં પહોંચી વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરશે. કોરોનાથી બચવા માટેની માહિતી આપી લોકોને જાગૃત કરાશે.