પેટ્રોલ અને ડીઝલના ભાવ શા માટે વધી રહ્યાં છે તેનો ખુલાસો કરતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું મોટું નિવેદન આપ્યું છે.
પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારા પર મોટું નિવેદન
પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડા પર મંત્રીએ કહ્યું
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી કર્યો ખુલાસો
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટી રહ્યાં નથી, કારણ કે રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા તૈયાર નથી. તેમણે કહ્યું કે બંગાળમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયાને પાર પહોંચ્યો છે કારણ કે ટીએમસી સરકાર ભારે ટેક્સ વસૂલી રહી છે.
રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા તૈયાર નથી એટલે ભાવ ઘટતા નથી-પેટ્રોલિયમ મંત્રી
પુરીએ કહ્યું કે જો તમારા મનમાં સવાલ હોય કે શું તમે ઈચ્છો છો કે પેટ્રોલનો ભાવ ઓછો થાય, તો તેનો જવાબ હામાં છે. હવે જો તમારો સવાલ હોય કે પેટ્રોલની કિંમત ઘટતી કેમ નથી, તો તેનો જવાબ છે કે કારણ કે રાજ્યો તેને જીએસટી હેઠળ લાવવા તૈયાર નથી. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ટેક્સ તરીકે પ્રતિ લીટરે 32 રુપિયાનો ટેક્સ વસૂલે છે. અમે 32 રુપિયા પ્રતિ લીટર કરી નાખ્યો જ્યારે ઈંધણની કિંમતો 19 અમેરિકી ડોલર હતી અને અમે હજુ પણ તે જ ભાવે વેચી રહ્યાં છીએ પરંતુ હકીકતમાં આજે પ્રતિ બેલરનો ભાવ વધીને 75 અમેરિકી ડોલર થયો છે.
પેટ્રોલ ટેક્સની રકમ લોકકલ્યાણકારી યોજનાઓમાં થાય છે-મંત્રી
મંત્રીએ કહ્યું કે પેટ્રોલ દ્વારા સરકારને જે ટેક્સ મળે છે તેનો ઉપયોગ લોક કલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવે છે. બંગાળ સરકારે જુલાઈમાં પેટ્રોલના ભાવાં 3.51 રુપિયાનો વધારો કરી નાખ્યો જેને કારણે પેટ્રોલનો ભાવ 100 રુપિયાને પાર પહોંચી ગયો.