કેન્દ્રની મોદી સરકાર દેશની જનતાને ફરી એક વાર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવા માટે સરકાર પ્લાન બનાવી રહી છે.
કેન્દ્રની મોદી સરકાર દેશની જનતાને ફરી એક વાર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઓછા કરવા માટે સરકાર પ્લાન બનાવી રહી છે. જણાવી દઈએ કે, દુનિયાભરમાં કાચા તેલના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાય દેશો મથી રહ્યા છે. ભારતમાં કાચ તેલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે મોટી અર્થવ્યવસ્થા માફક પોતાની રણનીતિક તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારાની વચ્ચે મોદી સરકારે દિવાળીના પ્રસંગે દેશની જનતાને મોટી રાહત આપી હતી. ત્યારે સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મુક્યો હતો.
સરકારનો છે 50 લાખ બૈરલ તેલ કાઢવાનો પ્લાન
ભારત ક્રૂડ ઓયલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડીને પોતાના તેલ ભંડારમાંથી 50 લાખ બૈરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે.
સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, રણનીતિક ભંડારથી કાઢવામાં આવતા આ કાચા તેલની મેંગલોર રિફાનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને હિન્દુસ્તાનર રણનીતિ તેલ ભંડારથી પાઈપલાઈન દ્વારા જોડાયેલી છે.
ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
આ અધિકારીએ કહ્યું કે, તેના વિશે સત્તાવારા જાહેરાત ટૂંક સમયમાં જ થશે. તેમણે કહ્યું કે, સાત - દશ દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. તેમણે વધુંમાં જણાવ્યું કે, જરૂર પડવા પર ભારત પોતાના તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની પ્રક્રિયા પર નિર્ણય લઈ લેશે.
ભારત ક્રૂડ ઓયલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ચાલી રહેલા ઉછાળાની વચ્ચે અન્ય મોટી અર્થવ્યવ્સથાઓની સાથે મળીને પોતાના ઈમરજન્સી તેલ ભંડારમાંથી કાઢવાનું મન બનાવી લીધું છે. ભારતના પશ્ચિમી અને પૂર્વી બંને તટ પર તેલ ભંડાર આવેલા છે. તેની ક્ષમતા લગભગ 3.8 કરોડ બૈરલ તેલની છે.