પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો પર ટેક્સ ધટાડવાનો નિર્ણય સરકાર જલ્દી લઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર એક્સાઇઝ ડ્યૂટી 2 થી 4 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કિંમતો ઓછી કરવાને લઇને સરકાર મન બનાવી ચુકી છે. પ્રધાનમંત્રી કાર્યાલય એક બે દિવસેમાં અંતિમ નિર્ણય લઇ શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બુધવારે તેલ કંપનીઓની સાથે સ્ટોકની સ્થિતિ પર વાતચીત કરશે.
નાણા મંત્રાલયના PMOને બધો ડેટા અને ઇનપુટ ઉપબલ્ધ કરાવી દીધા છે. છેલ્લા એક સપ્તાહથી એક્સાઇઝ ડ્યૂટીમાં કાપને લઇને ચર્ચા થઇ રહી છે અને નિર્ણય ગમે ત્યારે આવી શકે છે. ડીલર્સના કમીશન ઘટાડવા પર પણ વિચાર થઇ શકે છે. તમને જણાવી દઇએ કે ક્રૂડની કિંમતો જ્યારે ઓછી હતી તો સરકારે નવેમ્બર 2014થી લઇને જાન્યુઆરી 2016 સુધી 9 વખત એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી અને માત્ર એક વખત ગત વર્ષે ઓક્ટોબરમાં કાપ કરી હતી.
1 રૂપિયાના કાપ પર 140 અરબનો બોજ
અધિકારીએ કહ્યું કે એક્સાઇઝ ડ્યૂટીમાં 1 રૂપિયાનો કાપ કરવા પર સરકારને 130 થી 140 અરબ રૂપિયાનો બોજ ઊઠાવવાનો હોય છે. આ પ્રકારે એમાં 2 રૂપિયાનો કાપ કરવા પર 260 થી 280 અરબ રૂપિયાનું નુકસાન સરકારે ઊઠાવવું પડશે. જો સરકારે સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં 4 રૂપિયા પ્રતિ લીટરનો કાપ કર્યો છે તો નુકસાન વધીને 520 560 અરબ રૂપિયા થઇ જશે.
દક્ષિણ અમેરિકાનો દેશ વેનેજુલા ભારતને કાચા તેલની આપૂર્તિ કરીને એમની ચુકવણી ભારતીય કરન્સી રૂપિયામાં લેવા તૈયાર થઇ ગયું છે. ભારતમાં વેનેજુઅલાના રાજદૂતે મંગળવારે આ જાણકારી આપી છે. એમનું કહેવું છે કે આવું કરીને બંને દેશોને અમેરિકા દ્વારા લગાવવા આવેલા પ્રતિબંધથી બચાવી શકાય છે.