સર્વપિતૃ અમાસ પર આ વખતે ચાર ગ્રહોની યુતિ બનશે, જેથી 4 રાશિના જાતકોને નુકસાન થવાની સંભાવના છે.
સર્વપિતૃ અમાસ પર બનશે ચાર ગ્રહોની યુતિ
બધી જ રાશિઓ પર પડશે અસર
4 રાશિના જાતકોને થશે નુકસાન
સર્વપિતૃ અમાસ પર બનશે ચાર ગ્રહોની યુતિ
સર્વપિતૃ અમાસ પર આ વખતે ચાર ગ્રહ એકસાથે કન્યા રાશિમાં આવી રહ્યા છે. કન્યા રાશિનો સંબંધ બુધ ગ્રહ અને દેવી દુર્ગા સાથે માનવામાં આવે છે. આવામાં ચાર ગ્રહોના સંગમથી અમુક રાશીઓને લાભ થશે, તો અમુક રાશીઓને નુકસાન પણ થશે. આવો જાણીએ આ ચાર ગ્રહોના સંયોગથી કઈ કઇ રાશિઓને નુકસાન થશે.
કર્ક રાશિ : સતત મહેનત કરવાની જરૂર
સર્વપિતૃ અમાસ પર ચાર ગ્રહ કર્ક રાશિથી ત્રીજા ભાવમાં બિરાજમાન થશે. આ ઘરમાં સૂર્યની સ્થિતિ તમને આત્મવિશ્વાસથી ભરી શકે છે, પરંતુ ઉત્સાહમાં નિર્ણય લેવો તમારા માટે ભારે રહેશે, તેથી તમે જે પણ કામ કરો છો તે સમજી વિચારીને કરો. પૈસા સંબંધિત બાબતોને લઈને તમે મૂંઝવણની સ્થિતિમાં રહી શકો છો. આ સમયે, પારિવારિક જીવનમાં નાના ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે, તેથી તેમની સાથે ખૂબ જ કાળજીપૂર્વક વાત કરો. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારે વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્ય પણ આ સમયગાળા દરમિયાન સારું નહીં રહે. સામાજિક સ્તરે, તમારે એવા લોકોથી સાવચેત રહેવું જોઈએ જે તમારી સામે તમારા મિત્ર બને છે પરંતુ પીઠ પાછળ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે. જો કે આ રાશિના નાના વેપારીઓ માટે આ સમય સારો રહી શકે છે. લવ લાઈફમાં તમારે સંયમથી કામ લેવું પડશે.
તુલા રાશિ : ખર્ચમાં વધારો
તમારા બારમાં ભાવમાં સૂર્ય, બુધ, શુક્રની સ્થિતિ ખર્ચો વધારી શકે છે. એટલા માટે તુલા રાશિના જાતકો માટે યોગ્ય બજેટથી પ્લાન કરીને જ આગળ વધવું ફાયદાકારક રહેશે. ઘરના કોઈપણ સદસ્યની તબિયત પણ આ દરમિયાન ખરાબ રહી શકે છે. તમને માનસિક ચિંતા પણ થઈ શકે છે. આ દરમિયાન તમારે પોતાના પરિવારના લોકો સાથે જ સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે. આ રાશિના અમુક જાતકોને આંખો સાથે જોડાયેલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
વૃશ્ચિક રાશિ : લવ લાઈફમાં ઉતાર - ચઢાવ
વૃશ્ચિક રાશિથી 11માં ભાવમાં ચાર ગ્રહની યુતિ બનશે. જો કે આ કુંડળીનું લાભ ઘર છે, પરંતુ આ ચાર ગ્રહો એકસાથે તમારા ખર્ચમાં વધારો કરી શકે છે. કાર્યસ્થળમાં વરિષ્ઠ લોકો તમારા કામમાં રહેલી ભૂલો શોધવાનો પ્રયત્ન કરી શકે છે, તમે એકાગ્રતાથી દરેક કામ કરશો તો સારું રહેશે. તેની સાથે લવ લાઈફમાં પણ ઉતાર-ચઢાવ આવવાની સંભાવના છે. મોટા ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના કેટલાક લોકોને કાન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ તેમના મનને સંતુલિત કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર છે.
કુંભ રાશિ : નોકરિયાતોએ સતર્ક રહેવાની જરૂર
કુંભ રાશિથી 8 માં ઘરમાં આ યુતિ બની રહી છે. સામાજિક સ્તર પર તમારે સંભાળીને રહેવાની જરૂર પડશે નહીંતર તમારા પર ખોટા આરોપો પણ લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોના જીવનમાં નકારાત્મક પરિવર્તન આવી શકે છે, નોકરીમાં અચાનક ટ્રાન્સફર થઈ શકે છે અથવા કોઈ સમસ્યા આવી શકે છે. જો તમે બિઝનેસમેન છો, તો કોઈપણ ડીલ હાથમાંથી નીકળી શકે છે. તેથી, નકારાત્મક અસરોથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાહન ચલાવતી વખતે પણ આ રાશિના જાતકોએ ખૂબ કાળજી રાખવી પડશે. જેઓ કોઈ લાંબી બીમારીથી પરેશાન છે, તે પોતાનું ખાસ ધ્યાન રાખો.