સુરતમાં બહારથી આવતા લોકોને ફરજિયાત રૂપે સાત દિવસ માટે હોમકોરોન્ટાઈન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાના વધતા કેસને લઇ સુરત તંત્ર એક્શનમાં
સુરતમાં બહારથી આવતા લોકોને કરાશે કોરોન્ટાઇન
લોકોને 7 દિવસ ફરજિયાત કોરોન્ટાઇ કરાશે
વધતા કોરોનાને કેસને લઈને સુરત કોર્પોરેશન એક્શનમાં
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પાલિકા તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે અને મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
સુરતમાં શહેર બહારથી આવતા લોકોએ રહેવુ પડશે હોમ-કોરોન્ટાઈન
સુરતમાં હવે શહેર બહારથી આવતા લોકોએ સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. સુરત શહેરમાં બહારથી આવતા લોકો માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને અને ફરજિયાત રૂપે બહારથી આવતા લોકો માટે સાત દિવસ માટે હોમ-કોરોન્ટાઈનનો નિયમ બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે જો આ જાહેરનામાનો ભંગ કરવાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કોરોના વાયરસના વધતાં કેસણે ધ્યાને રાખીને આ નિણર્ય લેવામાં આવ્યો છે.
એક સપ્તાહ માટે ટ્યુશન, શાળા અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ
સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
એેક સપ્તાહ માટે સીટી બસ અને BRTS બસ સેવા આજથી બંધ કરાઈ
સુરતમાં કોરોનાના કેસ વધતા મનપાએ મહત્વનો નિર્ણય લીધો હતો. સુરતમાં સૌથી વધુ કેસો આવતા સીટી બસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સપ્તાહ માટે સુરત શહેરમાં 21 રૂટો પર સિટી બસ અને BRTS સેવા બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવતા ત્યાં સીટી બસો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
સુરત મનપાએ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો
સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ, સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિટી બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા. ત્યારબાદ શહેરના તમામ બાગ બગીચાઓ, શાંતિકુંજ બંધ કરાયા છે. પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.
કોરોના સંક્રમણ વધતા 94 ધન્વંતરી રથ કાર્યરત
સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા આરોગ્ય રથ કાર્યરત કરાયા છે. સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સર્વે કરાયો છે. જેમાં 30 હજાર 593 ઘરોમાં 1 લાખ 26 હજાર 285 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં 12 હજાર 106 લોકોની ઓપીડી કરાઇ છે. જ્યારે 30 જેટલા તાવના કેસ મળી આવ્યા છે. અને 11 હજાર 277 કેસ અન્ય બીમારીઓના આવતા તંત્રની ચિંતા વધી છે.