મોટાભાગે લોકો ઘરની છત અથવા દીવાલ પર ઉગેલા પીપળાના છોડને લઈને પરેશાન થઈ જાય છે. ઘણી વખત હટાવ્યા બાદ પણ તે પાછો ઉગી જાય છે. તો તેને હટાવવા માટે એક નિશ્ચિત દિવસ અને તારીખ ગ્રંથોમાં જણાવવામાં આવી છે.
ઘર આંગળે ઉગ્યો છે પીપળો?
આ રીતે તેને હટાવો
જાણો કયો દિવસ અને તારીખ છે ખાસ
ઘરની છત અથવા દિવાલ પર ઉગેલો પીપળાનો છોડ નકારાત્મકતા દર્શાવે છે. વાસ્તુ અનુસાર જો તેને ઘરની બહાર લગાવવામાં આવે તો તે શુભ રહે છે. પરંતુ ઘરની અંદર તે ગરીબીનું કારણ બને છે. એટલા માટે તમે ઘણીવાર જોયું છે કે લોકો પીપલના છોડને લાંબા સમય સુધી ઘરમાં રહેવા દેતા નથી.
પરંતુ તેમના લાખ પ્રયત્નો પછી પણ પીપળાનો છોડ ફરી ઉગે છે. એવામાં સમજમાં નથી આવતું કે તેને વારંવાર હટાવવો યોગ્ય રહેશે કે નહીં તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે પીપળાના છોડને હંમેશ માટે દૂર કરવા માંગો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
આ દિવસે દૂર કરો પીપળાનો છોડ
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન નારાયણે રવિવારનો દિવસ દરિદ્રતાને આપ્યો છે. રવિવારે પીપળાની નીચે જવું અને તેને સ્પર્શ ન કરવા કહેવામાં આવ્યું છે. કારણ કે રવિવારના દિવસે દરિદ્રતા આવે છે. માટે પીપળાના છોડને હટાવવા માટે પણ રવિવારનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો છે.
પીપળાને હટાવ્યા પહેલા કરી લો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફક્ત રવિવારના દિવસે પીપળાને હટાવવું યોગ્ય નથી. પીપળાને હટાવ્યા પહેલા અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. રવિવારે પીપળાના છોડને હટાવ્યા પહેલા પીપળાની નીચે લીંબુ, મરચા અને બાવળના કાંટા મુકી દો. ત્યાર બાદ પીપળાના છોડને હટાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી પીપળાનો છોડ ફરી નહીં ઉગે.