શોના એક સુત્રએ જણાવ્યું કે રિપોર્ટ પોઝીટીવ આવતા પવનદીપને હોટલના એક રૂમમાં ક્વોરંટાઇન કરી દેવામાં આવ્યો છે. તે સંક્રમણને મ્હાત આપ્યા બાદ જ શોમાં વાપસી કરી શકશે.
પવનદીપ સંક્રમિત થયો તે બાદ શોના અન્ય કન્ટેસ્ટન્ટ, જજ અને હોસ્ટ સાથે બેકસ્ટેજ રહેનારા લોકોનો પણ કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આ બધાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
આદિત્ય નારાયણને કોરોના થયો તે બાદ શોને હાલ રિત્વિક ધનજાની હોસ્ટ કરી રહ્યો છે. વિશાલ ડડલાણી, હિમેશ રેશમિયા અને નેહા કક્કર ઇન્ડિયન આડલ12ના જજમાં યોગદાન આપી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે સતર્કતા રાખતા શોના ઘણા કન્ટેસ્ટન્ટને જુહુની બબલ હોટલમાં રાખવામાં આવ્યા છે. ઉત્તરાખંડી પવનદીપને છેલ્લા થોડા દિવસથી તાવ હતો અને તેને ધ્યાનમાં રાખીને તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો અને બાદમાં તેને આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો.
કોરોનાથી ગ્રસ્ત થયા બાદ પવનદીપ હવે ફિલ્મસીટીમાં શોના સ્ટેજ પર નહી ગાઇ શકે, હવે તેને હોટલના રૂમમાંથી વર્ચ્યુઅલી ગીત ગાવુ પડશે. શોમાં આ અઠવાડીયે સંગીતકાર કલ્યાણજી સ્પેશ્યલ એપિસોડઅને અન્ય એપિસોડનું પ્રસારણ કરવામાં આવશે. આ ખાસ એપિસોડમાં દર્શકોને પવનદીપના ટેલેન્ટનો વર્ચ્યુઅલ નજારો જોવા મળશે.