સુરતમાં સર્જાયેલ આગની ઘટનામાં થયેલ બાળકોના મોતના પડઘા સમગ્ર રાજ્યમાં પડવા પામ્યા છે અને સમગ્ર ગુજરાતનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું હોય તેમ પાટણ કલેકટર પણ હરકતમાં આવ્યા છે. પાટણ જીલ્લા કલેકટર આનંદ પટેલે પાટણના જવાબદાર વહીવટીતંત્રના અધિકારીઓને જીલ્લામાં તપાસના આદેશ આપ્યા છે.
અત્યાર સુધી જીલ્લામાંથી વિવિધ ટીમો બનાવી શહેર અને જીલ્લામાં ચાલતા ટ્યુશન કલાસીસ, હોસ્પિટલ, સરકારી તેમજ કોમર્શિયલ બિલ્ડીંગોમાં તાપસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી તેમજ બિલ્ડીંગો કે હોસ્પિટલમાં એનઓસી જેવા ડોક્યુમેન્ટ વગેરીની તપાસણી હાથ ધરવામાં આવી હતી.
૨૦૦ ઉપરાંત બીલ્ડીન્ગોની ચકાસણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે ૧૦૧ જેટલા એકમો ગેરકાયદેસર રીતે ચાલતા હતા તેમની પાસે ફાયર સેફટી જેવા સુવિધા જોવા ન મળતા તંત્ર દ્વારા તેમને કારણ દર્શક નોટીસો આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવેતો આ એકમોને શીલ મારી દેવાનું પાટણ કલેકટર આનંદ પટેલે વી.ટીવી ન્યુઝ સમક્ષ જણાવ્યું હતું. કહી શકાય કે અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપ્રેસન પાટણ કલેકટર દ્વારા હાલ ચલાવવા આવી રહ્યું છે, જેથી કરીને સુરત જેવી કરુણ ઘટના ન ઘટે.