આજના સમાજ-જીવનમાં ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે મોતના મુખમાં પહોંચેલ માનવીને ડોક્ટર પાછો લાવેછે. જોકે આજના સમયમાં ડોક્ટર ભગવાન કરતા વેપારી વધુ જોવા મળી રહ્યા છે. જોકે આજ વેપારની દુનિયામાં સાચી માનવતા મહેકાવતા કોઈ ડૉક્ટર સામે આવે તો તેમની કામગીરીને બિરદાવી રહી.
આવા જ એક ડોક્ટરને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જેઓએ કોરોનાથી બચવા દવા બનાવી છે તથા પાટણ વાસીઓને મફતમાં વેચાણ કરી રહ્યા છે. કોણ છે આ ડોક્ટર અને કેવી રીતે નિભાવી રહ્યા છે પોતાનો ડોક્ટર ધર્મ અહીં જાણો.
આ દવા કોરોના વાયરસનો કાંટો કાઢશે
પાટણ શહેરમાં આવેલ ઘીમટા વિસ્તારનાં નાકે હોમિયોપેથીક ક્લિનિક ચલાવતા ડોક્ટર ગોવિંદ ચૌધરી નામના ડી એચ એમ એસ ડીગ્રી ધારી ડોક્ટરે કોરોના વાયરસની દવા બનાવીને તમામ મોટા ડોક્ટરો અને મેડિકલની દુનિયાના જાણકારોને પડકાર ફેંક્યો છે. ચાઈના સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના વાઈરસની ઝપટે ચડ્યું છે ત્યારે આજે કોરોના વાઈરસની દવા પાટણ જેવા નાના ગામમાં એક ડૉકટર બનાવી લોકોને મફત વિતરણ કરે તે બાબત વિચાર માંગી લે તેવી કહી શકાય.
સિનિયર સીટીઝન એવા ડોકટર ગોવિંદ ચૌધરીએ પોતાના અંગત અનુભવ અને તર્ક ઉપર સફેદ નાની ગોળીઓની દવાનો ડોઝ બનાવ્યો છે અને તેમનો દાવો છે કે આ દવાના ડોઝ લેવાથી અબાલ યુવાન કે વૃદ્ધ તમામ લોકો કોરોના જેવા ભયંકર વાઇરસથી બચી શકે છે.
કોરોના વાયરસની દવા બનાવનાર ડોક્ટર ગોવિંદ ચૌધરીના જણાવ્યા મુજબ તેઓ આ દવા તેઓના 43 વર્ષના જૂના અનુભવને ધ્યાને રાખી આ એક રિચર્સ કર્યું છે. તેઓનું માનવું છે કે આસાન કામ બધા કરે છે પરંતુ મુશ્કેલ કામ કોઈ નથી કરતું જે ચેલેન્જ ઉપાડી લોકોને મદદરૂપ થઇ શકાય તે માટે મારા અનુભવને રિસર્ચમાં ભેળવી કોનાના લક્ષણ સામે તેનો તોડ આ દવાથી થઈ શકે તેઓ તેમને વિશ્વાસ છે.
ડોક્ટર ગોવિંદ ચૌધરી સ્વાઇન ફળ્યું, ડેન્ગ્યુ ,જેવી ચિકન ગુનિયા સહિતના તમામ દર્દો અને રોગમાં તેવોએ તેમની કોઠા સૂઝથી દવા બનાવી લોકોને મફત વિતરણ કરી હતી. જોકે આજે કોરોના વાઈરસ થી સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં હાહાકાર મચ્યો છે ત્યારે ડોકટરે ફરી એક દવા બનાવી પાટણ વાસીઓની મદદે આવ્યા છે જેવોની આ સેવા માનવ ધર્મનું એક ઉત્તમ ઉદાહર પૂરું પાડે છે.
ડોક્ટર ગોવિંદ ચૌધરી એ બનાવેલ દવા લેવા લોકો મોટી સંખ્યામાં તેમના ક્લિનિક પર આવી રહ્યા છે. આ દવા સફેદ નાની ગોળીઓ એક પ્લાસ્ટિકની ડબ્બીમાં રાખીને આપવામાં આવી રહી છે. પુખ્તવયના માટે ચાર ગોળી એકીસાથે મોઢામાં રાખવાની હોય છે. છ વર્ષથી મોટા બાળકોને ત્રણ ગોળી અને બે ગોળી જીભ નીચે મૂકવાની હોય છે જોકે આ ગોળી જીભ નીચે મૂક્યાં બાદ મોઢામાં ઓગળી જાય છે.
આ દવા લેવા આવનારનું નામ અને સરનામું લખવામાં આવે છે એક વ્યક્તિને એક ડબ્બી વિના મુલ્યે આપવામાં આવે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ દવા એડવાન્સમાં લેવાથી શ્વાસોશ્વાસ ને લગતી કોઈપણ બીમારીમાંથી બચી શકાય છે પાટણમાં કોરોના નો કોઈ કેસ સામે નથી આવ્યો પરંતુ એડવાન્સમાં આ દવાનો કોર્સ ચાલુ કરવાથી કોરોના જેવી બીમારીથી બચી શકાય છે તેવો પાટણના હોમિયોપેથીક ડોક્ટર ગોવિંદ ચૌધરી નો આ દાવો છે.
જોકે આ દાવો કેટલો સાચો એ તો મેડિકલ જગતના તજજ્ઞો જણાવી શકે પરંતુ હાલ તો ડોક્ટર ગોવિંદ ચૌધરીની કોરોના વાઇરસથી બચવા માટેની તેમની સફેદ ડબ્બી વાળી દવા પાટણમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.