કોરોના વાયરસને કારણે આખી દુનિયાની રફ્તાર જાણે અટકી ગઈ હતી. કોરોનાથી બચવા અનેક દેશોએ લોકડાઉનનો માર્ગ અપનાવ્યો હતો. હવે ધીરે ધીરે કરીને દુનિયાના દેશો તેમાંથી બહાર આવી રહ્યા છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તકેદારીના ભાગ રુપે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તમામ સેવાઓ બંધ કરાઈ હતી. જેમાં વિમાન સેવા પણ હતી. જોકે થોડાક મહિનાથી તે શરુ તો કરાઈ છે પણ કેટલાક નિયમોના પાલન કરવાની શરત સાથે. તેમજ ફ્લાઈટમાં કેટલીક સેવાઓ જેવી કે ભોજનની સેવા બંધ કરાઈ હતી. હવે તેને ફરી ચાલુ કરવામાં આવી રહી છે.
મુસાફરોને ફ્લાઈટમાં ફરીથી ભોજન મળતું થશે
13 સપ્ટેબરથી ફ્લાઈટમાં ભોજન અપાશે
5 મહિનાથી ફ્લાઈટમાં ભોજન બંધ કરાયું હતુ
ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકોને લઈને સમાચાર આવ્યા છે. આ સમાચાર એ છે કે મુસાફરોને ફ્લાઈટમાં ફરીથી ભોજન મળતું થશે. 13 સપ્ટેબરથી ફ્લાઈટમાં ભોજન અપાશે. ઉલ્લેખનીય છે કે 5 મહિનાથી ફ્લાઈટમાં ભોજન બંધ કરાયું હતુ.
કોરોનાને લઈને ફ્લાઈટમાં ભોજન બંધ કરાયું હતુ. મુસાફરોએ અગાઉથી ભોજન માટે બુકિંગ કરાવવું પડશે. તકેદારીના ભાગ રુપે મુસાફરોને ડિસ્પોઝેબલ ટ્રે-પ્લેટમાં ભોજન મળશે. એટલે કે આવતી કાલથી તમામ મુસાફરોને ફ્લાઈટમાં ભોજન મળશે.