ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે આજે થોડીક રાહત મળી છે. દેશમાં ગઇકાલે 20,279 કેસ નોંધાયા બાદ આજે કેસમાં થોડોક ઘટાડો થતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,866 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં 18,148 દર્દીઓ સાજા થયા છે. તો વળી કોરોના કહેરને કારણે દેશમાં 41 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,866 કેસ
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,50,877 થઈ ગઈ છે. આ સાથે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,866 કેસ નોંધાયા છે. જેને લઈ ગઇકાલની સરખામણીએ આજે થોડી રાહત મળી છે.
#COVID19 | India reports 16,866 fresh cases, 18,148 recoveries and 41 deaths in the last 24 hours.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,279 નવા કેસ નોંધાયા હતા. આ સાથે 18,143 લોકો સ્વસ્થ પણ થયા હતા. તો છેલ્લા 24 કલાકમાં 36 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો.
કોરોના કેસમાં રાહત તો મોતની સંખ્યા વધી
દેશમાં કોરોના વાયરસના કેસોમાં આજે થોડીક રાહત તો મળી છે. કેમ કે ગઇકાલ કરતાં આજે કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે હવે કોરોનાથી મોતની સંખ્યામાં વધારો થતાં ચિંતાજનક સ્થિતિ બની છે.