રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની એક પછી એક ભયાનક તસવીરો ઉભરીને સામે આવી રહી છે. જેમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફસાયા છે.
યુક્રેનમાં વિદ્યાર્થીઓને લઇ જીતુ વાઘાણીનું નિવેદન
મિશન ગંગા અને સંવેદનાનું મિશન બન્યું -વાઘાણી
પોલેન્ડના વિદ્યાર્થીઓને વાર લાગશે પણ સુરક્ષિત લાવીશું -વાઘાણી
યુક્રેનના યુદ્ધ વચ્ચેથી ભારતીય વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરી રહ્યા છે. જેમાં ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ સામેલ છે. આજે સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરતા જ પરિવારજનોને ભેટીને રડી પડ્યા હતા. બીજી તરફ હજી ઘણાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. ત્યારે તેના વાલીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ પોતાના દિકરા-દિકરીઓ પરત લાવવા આજીજી કરી રહ્યાં હતાં.
વાલીઓની વેદનાને અમે સાંભળી છે -વાઘાણી
આજે સવારે અમદાવાદ જી એમ ડી સી ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓને જીએસઆરટીસીની 2 બસમાં લાવવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર , રાજેન્દ્ર ત્રિવેદી એ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ. બીજી તરફ જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. ત્યારે તેના વાલીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સુરક્ષિત રીતે પરત લાવવા આજીજી કરી રહ્યાં હતાં.
સરકાર જે વિદ્યાર્થીઓ હજી પરત નથી આવ્યા તેના પર કામ કરી રહી છે
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સમક્ષ રજૂઆત કરી હતી કે, સાહેબ અમારા દિકરા-દિકરીઓ 60 કિલોમિટર ચાલીને પોલેન્ડની સરહદ પર પહોંચ્યાછે. અને છેલ્લી બે રાત પોલેન્ડની સરહદ પર જ છે. અને માઇનસ 15 ડિગ્રીમાં ખાધા-પીધા વગર બેઠા છે.અમે હાલ સેલ્ટર મળી જાય પછી ભલેને બે દિવસ મોડા આવે પરંતુ તેમને રહેવાની વ્યવસ્થા કરી આપોને. જેના જવાબમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પોલેન્ડના વિદ્યાર્થીઓને વાર લાગશે પણ સુરક્ષિત લાવીશું. હજી કાલે પણ વિદ્યાર્થીઓ પરત સુરક્ષિત વતન આવશે. ગુજરાત અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. જે વિદ્યાર્થીઓ હજી પરત નથી આવ્યા તેમને પણ પરત લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર આ મુદ્દે કામ કરી રહી છે.