દરેક માતા પિતા પોતાની દીકરીને લગ્ન સમયે કંઈકને કંઈક ભેટ આપે છે. શું તમને ખબર છે કે, લગ્ન સમયે દીકરીને આ ચાર વસ્તુઓ ક્યારેય પણ ના આપવી જોઈએ.
દીકરીઓને ઉપહાર આપવાની પરંપરા સદીઓ પહેલાની છે
લગ્ન સમયે દીકરીને આ ચાર વસ્તુઓ ક્યારેય ના આપવી.
લગ્ન સમયે સોય ક્યારેય પણ ના આપવી જોઈએ.
દરેક માતા પિતાના પોતાની દીકરીને લગ્નના સમયે હંમેશા સુખી અને સુહાગણ રહેવાના આશીર્વાદ આપે છે. તેઓ હંમેશા ઈચ્છે છે કે, તેમની દીકરીને એક પ્રેમ કરનાર પતિ અને સ્નેહ વરસાવનાર સાસરિયું મળે. લગ્નમાં દીકરીઓને ઉપહાર આપવાની પરંપરા સદીઓ પહેલાની છે. દરેક માતા પિતા પોતાની દીકરીને લગ્ન સમયે કંઈકને કંઈક ભેટ આપે છે. શું તમને ખબર છે કે, લગ્ન સમયે દીકરીને આ ચાર વસ્તુઓ ક્યારેય પણ ના આપવી જોઈએ. પંડિત પ્રદીપ મિશ્રાએ પોતાના પ્રવચનમાં આ અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.
અથાણું
દીકરીને લગ્ન સમયે અથાણું ક્યારેય પણ ના આપવું જોઈએ, તેનાથી તેના જીવનમાં ખટાશ આવી શકે છે. જો તમે તમારી દીકરીને તમારા હાથનું અથાણું આપવા માંગો છો તો લગ્ન પછી તેના ઘરે જઈને બજારમાંથી વસ્તુ લાવીને તેને અથાણું બનાવી આપો.
સાવરણી
કહેવામાં આવે છે કે, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. શું તમને ખબર છે કે, દીકરીને લગ્ન સમયે સાવરણી ક્યારેય પણ ના આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી દીકરીનો ઘર સંસાર સુખી રહેતો નથી અને હંમેશા દુ:ખભર્યું જીવન રહે છે. આ કારણોસર લગ્ન પછી વિદાઈમાં આ વસ્તુ ક્યારેય ના આપવી જોઈએ.
સોય અથવા ધારદાર વસ્તુ
દીકરીને લગ્ન સમયે સોય ક્યારેય પણ ના આપવી જોઈએ. કહેવામાં આવે છે કે, બહેન અથવા દીકરીની વિદાઈ સમયે સોય ભેટમાં આપવાથી સંબંધોમાં મધુરતા જળવાતી નથી. સોય જેવી ધારદાર વસ્તુઓ પણ વિદાઈમાં ના આપવી જોઈએ.
ચાળણી
દીકરીને વિદાઈ સમયે ચાળણી બિલકુલ ના આપવી જોઈએ. ઉત્તરાયણમાં માતાઓ પોતાની દીકરીને 13 વસ્તુઓ ભેટમાં આપે છે. અનેક માતાઓ ભેટમાં ચાળણી આપે છે, જે બિલકુલ પણ યોગ્ય નથી. જેનાથી દીકરીના સુખી જીવનમાં દુ:ખનો પડછાયો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.