આજે અમે તમને જણાવીશું પારાના કડા વિશે સાથે જ જણાવીશું કે પારાના કડા કઈ રીતે લાભકારી હોય છે.
હાથમાં કડુ પહેરતા હોવ તો ખાસ જાણી લેજો
મળશે ચમત્કારિક લાભ
જાણો કઈ રીતે કડુ પહેરવું લાભકારી
ઘણા લોકોને હાથમાં કડુ પહેરવું પસંદ હોય છે. તેનું ચલણ પણ ખૂબ જુનુ છે. એમુક લોકો તેને ફેશન માટે પહેરે છે તો અમુક લોકો ધાર્મિક રીતે તેને પહેરે છે. સામાન્ય રીતે કડા ઘણા પ્રકારના હોય છે. ઘણા લોકો લોખંડનું તો ઘણા લોકો સોના, ચાંદીનું કડુ પહેરે છે. પરંતુ શું તમે પારાના કડા વિશે સાંભળ્યું છે? જો નહીં તો આજે અમે તમને જણાવીએ પારાના કડા વિશે સાથે જ જણાવીએ કે તે કઈ રીતે તમારા માટે લાભકારી સાબિત થાય છે.
વૈદિક ધર્મગ્રંથોમાં તેને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પારો એક જીવંત ધાતુ છે જેને હાથમાં ધારણ કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. સાથે જ જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીથી પણ છુટકારો મળે છે.
પારાની ધાતુનું કડુ પહેરવાના ફાયદા
નકારાત્મક શક્તિઓ દૂર રહે છે
શાસ્ત્રોમાં પારાની ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રીતે આ ધાતુનું કડુ પહેરવાથી નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ પર જલ્દી જ નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે તો તેણે આ ધાતુના કાડા પહેરવા જોઈએ.
હાથ-પગ અને કમરમાં દુખાવાથી મળશે આરામ
જો કોઈ વ્યક્તિ હાથ, પગ અને પીઠમાં દુખાવાની ફરિયાદ કરે છે, તો આવી સ્થિતિમાં પારાના કડા તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે પારો ધાતુ લોહીના પરિભ્રમણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી તેને પહેરવાથી દુખાવામાં રાહત મળે છે.
વાતાવરણ સંબંધિ બીમારીઓ થશે દૂર
ઘણા લોકો એવા હોય છે જે વાતાવરણ બદલાતા તરત બીમાર પડી જાય છે. એવામાં આ બીમારીઓથી બચવા માટે પારાની ધાતુના કડા લાભકારી સાબિત થઈ શકે છે.
માનસિક પીડા અને તણાવ રહે છે દૂર
પારાનું કડુ ધારણ કરવાથી માનસિક પીડા પણ દૂર થાઈ જાય છે. આટલું જ નહીં તેને પહેરવાથી આળસ પણ દૂર થાય છે.