ભોજનને સ્વાદીષ્ટ બનાવવામાં પાપડની મહત્વની ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે ભારતમાં પાપડની ખૂબ માંગ છે. પાપડની માંગ વધારે હોવાથી તેને માટાપાયે બનાવવામાં આવે છે. પાપડને હાથથી વણ્યા સિવાય મશીનમાં પણ બનાવવામાં આવે છે
જો તમે પાપડ ખરીદી રહ્યાં છો GST ચૂકવવો પડશે કે નહીં?
ભારતમાં પાપડની માંગ વધારે હોવાથી મોટાપાયે બનાવાય છે
પાપડ પર જીએસટીનો રેટ શૂન્ય રહેશે?
પાપડ પર જીએસટીનો રેટ શૂન્ય રહેશે
માર્કેટમાં પાપડની ઘણી વેરાયટી છે અને તેના દ્વારા તેના ભાવ પણ નક્કી થાય છે. પાપડના ભાવમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલેકે GSTની મહત્વની ભૂમિકા હોય છે. જીએસટીને લઇને ગુજરાતની ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ ખંડપીઠે એક નવી જાહેરાત કરી છે. AARએ કહ્યું છે કે, પાપડ પર કોઈ પણ પ્રકારનો જીએસટી લાગશે નહીં. એટલેકે પાપડ પર જીએસટીનો રેટ શૂન્ય રહેશે.
અખબારના અહેવાલમાં કરાયો છે દાવો
ગુજરાતની એએઆર બેન્ચે કહ્યું છે કે પાપડ પહેલાં હાથથી બનાવવામાં આવતા હતા અને તેનો આકાર ગોળ હતો. હવે પાપડ અલગ-અલગ પ્રકાર અને આકારમાં બનાવવામાં આવે છે. ગુજરાતની બેંચે કહ્યું, જ્યાં સુધી અલગ-અલગ પાપડ બનાવવાની વાત છે તો ઈન્ગ્રેડિએન્ટ કાચા માલના મામલે આ એકજેવુ છે, નિર્માણ અને ઉપયોગની પદ્ધતિ પણ એકજેવી છે. તેથી પાપડને HSN 19059040ની શ્રેણીમાં રાખવામાં આવશે અને તેની પર કોઈ જીએસટી લેવામાં આવશે નહીં. એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
ગુજરાત એએઆરે શું કહ્યું
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ગૃહ ઉદ્યોગે ગુજરાત એએઆર પાસેથી પોતાના પ્રોડક્ટના ક્લાસિફિકેશનને લઇને ચુકાદો આપવાની માંગ કરી હતી. જેના આધારે AARએ જીએસટી અંગે માહિતી આપી છે. ગ્લોબલ ગૃહ ઉદ્યોગે પુરી પાપડ અને તળ્યાં વગરના પાપડ બનાવ્યાં છે. એએઆરે ગ્લોબલ ગૃહ ઉદ્યોગને જણાવ્યું કે, તેના પાપડમાં મેન ઈન્ગ્રેડિએન્ટ તરીકે લોટ, મસાલો, મીઠુ, અને તેલનો ઉપયોગ કર્યો છે. ઉદ્યોગે જણાવ્યું કે, આ રાંધેલા ખાદ્ય પદાર્થો નથી. પરંતુ તેને ખાતા પહેલા તળવામાં આવે છે. ગ્લોબલ ગૃહ ઉદ્યોગે એવુ પણ જણાવ્યું કે, તેના પાપડ ઈન્સ્ટન્ટ ફૂડ આઈટમ નથી. જેના કારણે લોકો ખાઈ શકે તેવા યોગ્ય છે. ખાવા માટે પાપડને તળવા અને શેકવા પડે છે.