ગુરૂવારે ભારતીય જેલમાંથી 12 પાકિસ્તાની કેદીઓને પોતાની સજા પુરી કરીને પોતાના વતન પાછા મોકલી દેવામાં આવ્યા હતા. કેદીઓને અટારી વાઘા સરહદના રસ્તે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે.
12 પાકિસ્તાની કેદીઓને છોડી મુકવામાં આવ્યા
અટારી વાઘા બોર્ડરથી જશે સ્વદેશ
હાઈકમિશન્સે કર્યું ટ્વિટ
ગુરૂવારે ભારતીય જેલમાંથી 12 પાકિસ્તાની કેદીઓને પોતાની સજા પુરી કરીને પોતાના વતન પાછા મોકલી દેવામાં આવ્યા હતા. કેદીઓને અટારી વાઘા સરહદના રસ્તે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત તમામ માનવીય મામલે પતાવવામાં ખાસ્સુ મહત્વ આપે છે. જેમાં ભારતીય કેદીઓ અને પાકિસ્તાનના માછીમારોને તાત્કાલિક છૂટ્ટા કરવા અને પાછા લાવવાના કિસ્સા સામેલ છે.
અત્યાર સુધીમાં 20 ભારતીયોને છોડાવવામાં સફળ
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, સરકાર સતત પ્રયાસરત છે કે, 2022માં અત્યાર સુધીમાં પાકિસ્તાનની ધરપકડમાં 20 ભારતીય માછીમારો કે, જેમને છૂટા કરાવવા અને તેમને પાછા લાવવામાં સફળતા મળી છે. ભારતમાં પાકિસ્તાન એમ્બેંસીએ કહ્યું કે, ગુરૂવારે 12 પાકિસ્તાની નાગરિકોને સ્વદેશ મોકલવામાં આવ્યા છે.
In close coordination with @ForeignOfficePk as well as the Indian side, 12 Pakistan nationals, including 6 fishermen, who were under imprisonment in India, were repatriated today via Attari-Wagah border on completion of their sentences. pic.twitter.com/lomGCIc8Qh
પાકિસ્તાન એમ્બેંસીએ ટ્વિટ કર્યું છે કે, પાકિસ્તાનના વિદેશ વિભાગ, ભારતના વિદેશ મંત્રાલય સાથે નજીકનો તાલમેલ રાખી ભારતમાં સજા પુરી કરી ચુકેલા છ માછીમારો સહિત 12 પાકિસ્તાની નાગરિકોને અટારી-વાઘા સરહદ દ્વારા મોકલી દેવામાં આવ્યા છે. એમ્બેંસીએ કહ્યું કે, તે તમામ પાકિસ્તાની કેદીઓને જલ્દીથી પાછા સ્વદેશ લાવવાના પ્રયાસો ચાલું રાખશે. જેમણે ભારતમાં પોતાની સજા પુરી કરી લીધી છે.