પાકિસ્તાન જરા પણ સુધરવાનું નામ લેતું નથી. કોઈ ને કોઈ અવળચંડાઈ કરતું જ રહે છે. ત્યાંના લોકો પણ સતત ભારતની લાગણીઓને ઠેસ પહોંચાડતા રહે છે, જોકે હવે પાકિસ્તાને કરેલી એક અવળચંડાઈ તેને ભારે પડી શકે છે. આ વર્ષે યોજાનાર ટોકિયો ઓલિમ્પિક માટે પાકિસ્તાન તરફથી ઘોડેસવારી સ્પર્ધા માટે ઉસ્માન ખાન ભાગ લેવાનો છે. ઉસ્માન ખાને પોતાના ઘોડાનું નામ 'આઝાદ કાશ્મીર' રાખીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
ઘોડાનું નામ ‘આઝાદ કાશ્મીર’ રાખવું પાકિસ્તાનને ભારે પડશે
પાક.ની આ હરકત સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે
ભારતની લાગણીઓને ઠેસ પહોંચાડે છે પાકિસ્તાન
પાક.ની આ હરકત સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારત ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)માં ફરિયાદ
કરવાનું છે. જો આમ થયું તો આઇઓસીના નિયમ-50 અંતર્ગત ઉસ્માન ખાન પાસેથી ઓલિમ્પિક ક્વોટા છીનવી લેવાશે.
પાકિસ્તાન આ વિવાદ ઊભો કરવા ઇચ્છે છે તે ઘોડો પાક.નો છે જ નહીં
ઉસ્માન ખાન આ સ્પર્ધામાં ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારો પાકિસ્તાનનો એકમાત્ર ઘોડેસવાર છે. ખાસ વાત એ છે કે જે ઘોડાના દમ પર પાકિસ્તાન આ વિવાદ ઊભો કરવા ઇચ્છે છે તે ઘોડો પાક.નો છે જ નહીં. 12 વર્ષનો આ ઘોડો પહેલાં ઓસ્ટ્રેલિયાના બેલિન્ડા બેલિસ્ટર પાસે હતો, જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. હવે ૧૫ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા ઉસ્માને એ ઘોડો ગત વર્ષે બેલિન્ડા પાસેથી ખરીદ્યો અને જાણી જોઈને ઘોડાનું નામ બદલીને 'આઝાદ કાશ્મીર' રાખી દીધું.
ભારતની લાગણીઓને ઠેસ પહોંચાડે છે પાકિસ્તાન
આઇઓએના એક સૂત્રના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને તેના ખેલાડી હંમેશાં આવા વિવાદ કરતા રહે છે અને દરેક વાર તે ભારતની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ઉસ્માન ખાને પણ આવું જ કર્યું છે અને અમે તેની વિરુદ્ધ આઇઓસીમાં ફરિયાદ નોંધાવીશું. આઇઓસીના નિયમ-૫૦ અનુસાર કોઈ એવી ચીજ, જેનાથી કોઈ રાષ્ટ્રની લાગણીને ઠેસ પહોંચે અને તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે તો એ દેશનો ઓલિમ્પિક ક્વોટા રદ કરી દેવામાં આવે છે.