પુલવામામાં થયેલા હુમલાના ઠીક 4 દિવસ બાદ ભારતને બીજા મોરચે લડવા જવાની પણ ફરજ પડી છે. એ સ્થળનું નામ છે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલત. જ્યાં પાકિસ્તાનની જેલમાં બંધ નૌસેનાના પૂર્વ અધ્યક્ષ કુલભૂષણ જાધવને મુક્ત કરાવવા પોતાનો પક્ષ રાખવા ભારતીય અધિકારીઓ ગયા છે. અહીં પણ પુલવામામાં થયેલા હુમલાની અસર અધિકારીઓ પર જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણીમાં ઉપસ્થિત રહેલા ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનના અધિકારીઓ સાથે હસ્તધૂનન પણ કર્યુ ન હતું. જોઈએ આ અહેવાલ.
હજુ ચાર દિવસ પહેલાં જ પુલવામામાં ભારતીય સીઆરપીફના જવાનો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં 44 જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. જેનો શોક અને રોષ પ્રત્યેક ભારતીયોમાં ધગઘગી રહયો છે અને સરકાર ભારોભાર બદલો લેવાની વ્યૂહરચના ઘડી રહી છે. તેવામાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે પાકિસ્તાન સામે ફરીવાર ૉ સામસામે આવવાની ફરજ પડી છે અલબત્ત આ મામલો પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાધવની મુક્તિ માટે સુનાવણીનો હતો. જેમાં ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વે અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દિપક મિત્તલ પહોંચ્યા હતા તો પાકિસ્તાન તરફથી મનસૂર ખાન પહોંચ્યા હતા પરંતુ સીજેઆઈમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેના પરથી ભારતની પાકિસ્તાન તરફ કેટલી નારાજગી છે તેનો અંદાજ બાંધી શકાય છે.
કોર્ટમાં સુનાવણી પહેલા ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વે અને સંયુક્ત સચિવ દિપક મિત્તલ બેઠા હતા તેમના ટેબલ પાસે પાકિસ્તાનના એટર્ની જનરલ મનસૂર ખાન પહોંચી ગયા. મંસૂર ખાને સંયુક્ત સચિવ દીપક મિત્તલ સાથે હસ્તધૂનન કરવા હાથ લાંબો કર્યો પરંતુ દીપક મિત્તલે પોતાના તરફથી સખત સંદેશો આપતાં ફક્ત હાથ જોડીને જ તેમનું અભિવાદન કર્યું. એ સાથે જ દીપક મિત્તલ સાથે હાજર અન્ય અધિકારીઓએ પણ મંસૂર ખાન સાથે હાથ ન મિલાવ્યો. ફક્ત વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ જ મંસૂર ખાન સાથે ઔપચારિક રીતે હાથ મિલાવ્યો.
જો કે પાકિસ્તાનાના અધિકારીઓ સાથે ભારતીય અધિકારીઓ દ્વારા હાથ ન મિલાવવાનો આ પ્રથમ પ્રસંગ નથી. અગાઉ પણ પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં ભારતે મુક્યું છે. ઉરી હુમલા પછી ભારતે ડિપ્લોમેટિક સંબંધો મર્યાદિત કર્યા હતા. 2017માં દિપક મિત્તલે પાક અધિકારીઓ સાથે આવું જ વર્તન કર્યું હતું. ઉરી હુમલા પછી 2017માં ICJમાં પાક પ્રત્યે નારાજગી જાહેર કરી હતી. 2017માં દિપક મિત્તલે પાકિસ્તાની વકીલ સાથે હાથ મેળવ્યા ન હતા. 2017માં જાપાનમાં એક કોન્ફરન્સ દરમિયાન જેટલીએ પરચો બતાવ્યો હતો. જેટલીએ પણ ડાર સાથે હાથ ન મેળવીને પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. જ્યારે જ્યારે ભારતને તક મળી છે ત્યારે ત્યારે પાકિસ્તાનને ઈશારામાં સમજાવ્યું છે.
પાકિસ્તાનના કોઈ અધિકારી સાથે હાથ ન મિલાવીને ભારત દરેક પ્રસંગે પાકિસ્તાનને કડક સંદેશો આપવામાં કોઈ કમી રાખવા ઈચ્છતું નથી. સાથે જ પાકિસ્તાનને દુનિયાના અન્ય દેશોથી અટૂલું પાડવા માટે કૂટનિતિક દબાણ બનાવી રહ્યું છે અને તેના સ્વરૂપે જ વિદેશી દૂતાવાસો તરફથી ઉપસ્થિત તેમના રાજદૂત અને હાઈકમિશને એ સ્વીકાર કર્યો છે કે આતંકી સંગઠનોને પાકિસ્તાન તરફથી મદદ મળી રહી છે. જે ભારતની સફળતા કહી શકાય. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને પરોક્ષ રીતે પીએમ નરેદ્ર મોદીની ધમકી બાદ ભારતની કૂટનિતી તેજ થઈ ગઈ છે.
ભારતે પાકિસ્તાન સમર્થિત આતંક અને પુલવામાં હુમલાને લઈને અમેરિકા ફ્રાંસ જાપાન સહિત 25 દેશોના રાજદૂતો સાથે સંપર્ક સાધ્યો છે અને આંતકી પ્રવૃત્તિને પાકિસ્તાના સમર્થન અંગેના અનેક પુરાવા પણ આપ્યા છે પરંતુ હવે તમામ દેશવાસીઓને એ વાતનો ઈંતેજાર છે કે પાકિસ્તાન ડિપ્લોમેટિક રીતે પરાસ્ત થશે કે યુદ્ધ એ જ કલ્યાણ હશે?