દેવભૂમિ દ્વારકાઃ ગઈકાલે પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં ૫ ભારતીય બોટને ટાર્ગેટ બનાવી બોટના અપહરણ કરવાના મનસુબા સાથે બોટો પર ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ દરમ્યાન ૩ બોટો નાસી જવામાં સફળ રહી હતી. એક બોટ પાકિસ્તાને ઝડપી પાડી હતી. એક બોટ હજુ પણ લાપતા છે. આ ઘટનાને લઇને પોરબંદરના માછીમારોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણ કરી જાય છે. ત્યારે ગઈ કાલે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી હતી.
ગઈ કાલે અરબી સમુદ્રમાં ફિશિંગ કરતી ૫ ભારતીય બોટો પર પાકિસ્તાન દ્વારા અચાનક ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. બોટોના અપહરણ કરવાના ઈરાદે આ બોટો પર ફાઈરિંગ કરવાનું મનાય રહ્યું છે.
બોટોમાં રહેલા ડીઝલ તથા પાણીના ટેન્ક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. પરંતુ પાકિસ્તાન દ્વારા ઓખાની એક બોટ અને ૮ માછીમારનું અપહરણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
ફાયરિંગ દરમ્યાન ૫ બોટમાંથી ૩ બોટો નાસી છુટી હતી.
એક બોટનું અપહરણ થયું હતું અને એક બોટ હજુ પણ લાપતા છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય બોટો માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે. ત્યારે ગઈ કાલે બનેલી ફાયરિંગની ઘટના માછીમાર સમાજ માટે દુખદ ઘટના છે. હાલ માછીમાર સમાજના રોષની લાગણી જોવા મળી રહી છે.