બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / pakistan refuse to play 2023 odi world cup matches in ahmedabad barring final

ગતકડાબાજ પાક. / ભારતમાં વર્લ્ડ કપ રમવા પાકિસ્તાન તૈયાર, પણ રાખી દીધી આ મોટી શરત, તેમાંય ભલીવાર નહીં

Hiralal

Last Updated: 09:06 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને ભારતમાં વનડે વર્લ્ડ કપ રમવાની તૈયારી દર્શાવી છે પરંતુ સામે એક શરત પણ મૂકી છે.

  • 10 ઓક્ટોબર 2023થી ભારતમાં વનડે વર્લ્ડ કપનો પ્રારંભ
  • પાકિસ્તાને ભારતમાં રમવા આવવાની મૂકી શરત
  • કહ્યું- અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મેચ નહીં રમી શકીએ
  • પણ નોકઆઉટ કે ફાઈનલ રમવા તૈયાર 

10 ઓક્ટોબર 2023થી ભારતમાં વનડે વર્લ્ડ કપ શરુ થવાનો છે. દર ચાર વર્ષે યોજનાર વર્લ્ડ કપની મેજબાની આ વર્ષે ભારતે લીધી છે તેમાં આઠ ટીમો ભાગ લેશે પરંતુ પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવાને લઈને વિરોધમાં છે. પરંતુ હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતમાં વર્લ્ડ કપ રમવાની તૈયારી તો દર્શાવી છે પરંતુ તેમાંય પાછી એક વિચિત્ર શરત મૂકી છે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા તૈયાર નથી 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ નજમ સેઠીએ તેમને ત્યાં મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ચેરમેન ગ્રેગ બાર્કલેને કહ્યું છે કે પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે પરંતુ તેમની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા તૈયાર નથી, તેને ઠેકાણે કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરૂમાં મેચ ગોઠવાતી હોય તો રમવા તૈયાર છે. પાકિસ્તાની ટીમને અમદાવાદમાં તેમના ખેલાડીઓની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. 

પાકિસ્તાન અમદાવાદમાં નોટઆઉટ કે ફાઈનલમાં રમવા તૈયાર 
જોકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, "નજમ સેઠીએ બાર્કલે અને એલાર્ડિસને જાણ કરી છે કે પાકિસ્તાની ટીમ નોટઆઉટ કે ફાઈનલમાં પહોંચે તો જ તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા તૈયાર છે. 

2005માં પાકિસ્તાની ટીમ અમદાવાદમાં મેચ રમી હતી 
ઈન્ઝમામ ઉલ હકની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમે 2005માં મોટેરામાં મેચ રમી હતી. પરંતુ હવે પાકિસ્તાનને અમદાવાદમાં રમવાનો વાંધો છે પરંતુ નોકઆઉટ કે ફાઈનલ રમવામાં વાંધો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ