નવી દિલ્હીઃ પુલવામા હુમલાના 5 દિવસ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના પ્રહાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વગર કોઇ પુરાવાએ આ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવવામાં આવે છે. સાથે જ તેમણે પોતાના પુરાવા વાતચીતનો રાગ છેડ્યો હતો અને કહ્યું કે જો હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદી છે તો તેમના વિરૂદ્ધ ભારત પુરાવા આપે જેના પર ગેરેન્ટીથી કાર્યવાહી કરવામાં આવશે.
પ્રદાનમંત્રીના સંબોધન બાદ પાકિસ્તાન સરકારમાં રેલવે મંત્રી શેખ રશીદ અહમદે મોર્ચો સંભાળ્યો અને ભારતને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે ઇમરાખાનની પ્રેસ કોન્ફરન્સનો હવાલો આપતા કહ્યું કે ઇમરાન ખાને 20 કરોડ પાકિસ્તાનીઓ તરફથી નિવેદન આપ્યું છે. ભારત જો શાંતિની વાત કરશે તો શાંતિની વાત થશે પરંતુ જો યુદ્ધની વાત કરશે તો યુદ્ધની વાત થશે.
ત્યારબાદ ઇમરાનખાનના મંત્રીએ કહ્યું કે કાશ્મીર મુદ્દના કારણે તણાવ બનેલ છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. અમારા માટે પાકિસ્તાન જિંદગી છે પાકિસ્તાન મોત છે. જો કોઇએ પણ પાકિસ્તાન તરફ ખોટી નજર નાખી છે તો તેમની આંખો કાઢી નાખવામાં આવશે. પછી ઘાસ પણ નહીં ઉગે અને ચકલુ પણ નહીં ફરકે અને મંદિરોમાં ઘંટ પણ નહીં વાગે. તેમણે કહ્યું કે પાકિસ્તાન મુસલમાનોનો કિલો છે જે તરફ આજે સમગ્ર દુનિયાના મુસલમાનો જોઇ રહ્યા છે.