બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:36 PM, 30 December 2022
ADVERTISEMENT
ઇસ્લામાબાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનું અવસાન થયું છે ત્યારે દુનિયાભરનાં નેતાઓ શોકગ્રસ્ત સંદેશાઓ પાઠવી રહ્યાં છે. જેમાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શરબાઝ શરીફે પણ ટ્વિટ કરી શાંત્વના આપી છે.
પાકિસ્તાન PMએ કર્યું ટ્વિટ
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફે લખ્યું કે "માતાને ગુમાવવાથી મોટું નુક્સાન બીજું કોઇ ન હોઇ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાનાં નિધન પર મારા તરફથી શોક સંવેદનાઓ." આ સિવાય દુનિયાનાં કેટલાય દેશોનાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રાધ્યક્ષોએ પણ પીએમ મોદીની માતાનાં નિધન પર શોક પ્રગટ કર્યો હતો.
ADVERTISEMENT
There is no greater loss than losing one’s mother. My condolences to Prime Minister @narendramodi on the passing away of his mother.
— Shehbaz Sharif (@CMShehbaz) December 30, 2022
હીરાબેનનું 100 વર્ષની ઉંમરે થયું નિધન
નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરમાં અમદાવાદની હોસ્પિટલમાં આજે મૃત્યુ થયું છે. હીરાબેનનું સ્વાસ્થ્ય ખરાબ થતાં તેમને બુધવારે સવારે યૂ એન મહેકા ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના પાર્થિવ શરીરનું ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
ભાઇઓ સાથે માતાને આપી અંતિમ વિદાય
9 : 22 વાગ્યે સવારે હીરાબાને મુખાગ્નિ દેવામાં આવી હતી. આ મોકા પર મોટા પુત્ર સોમભાઇ એક તરફ જ્યારે નાનો પુત્ર પંકજ મોદી એક તરફ હતાં. વચ્ચે નરેન્દ્ર મોદી જે પોતાની માતાનાં સૌથી વધુ લાડલા હતાં. ચિત્તાને અગ્નિ આપ્યાં બાદ આશરે અડધો કલાક સુધી મોદી તેમની ચિત્તા પાસે ઊભા રહ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.