પાકિસ્તાનના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં પાકિસ્તાનની નેશનલ અસેંબલીમાંથી ઈમરાન ખાન વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયાં બાદ ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે રાષ્ટ્રપતિ પાસે સંસદભંગની માગ કરી છે અને વહેલામાં વહેલી તકે દેશમાં ચૂંટણી કરાવાની માગ કરી છે.
90 દિવસમાં થશે ચૂંટણી
જે બાદ રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી છે, અને આગામી 90 દિવસની અંદર પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાશે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 224 અંતર્ગત પ્રધાનમંત્રી પોતાના કર્તવ્યો ચાલુ રાખશે. મંત્રીમંડળ ભંગ કરવામાં આવ્યું છે.
I have written to the President to dissolve the assemblies. There should be elections in a democratic way. I call upon the people to Pakitan to prepare for elections: Pakistan PM Imran Khan
પાકિસ્તાનની નેશનલ અસેંબલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી સ્પિકર કાસિમ ખાન સૂરીએ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને નેશનલ અસેંબલીમાં ડેપ્યુટી સ્પિકર કાસિમ ખાન સૂરીએ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. અને સદનમાં વોટિંગ થવા દીધું નહોતું. તેની સાથે જ પાકિસ્તાનની નેશનલ અસેંબલીની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામા આવી હતી. સંસદની આગામી બેઠક 25 એપ્રિલે આયોજીત કરવામાં આવશે.
Pakistan National Assembly Deputy Speaker rejects the no-confidence motion against PM Imran Khan, declares it unconstitutional
હાલમાં સમાચાર આવી રહ્યા છે કે, પીએમ ઈમરાન ખાન હાલના સમયમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે બેઠક કરી રહ્યા છે. બંને વચ્ચે ગંભીર મંત્રણા ચાલી રહી છે. આ બાજૂ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાને નેશનલ અસેંબલીની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Islamabad | Proceedings of the Pakistan National Assembly get underway, to vote on the no-confidence motion
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે દાવો કર્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. શેખ રશીદે કહ્યું કે, મને લાગે છે કે, તે ઈમરાન ખાનને ધરપકડ કરી શકે છે. તેઓ ઈમરાન ખાનને સાંખી નહીં લે. એકસો પંચાવન સભ્યો રાજીનામા આપી શકે છે, જે લોકતંત્ર માટે મોટો ખતરો છે. આ સ્થિતિનું એક માત્ર સમાધાન ચૂંટણી છે. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાનની એજન્સીઓએ દખલ આપવી જોઈએ અને ચૂંટણીનો રસ્તો સ્પષ્ટ કરવો જોઈએ.
ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ
પીએમ ઈમરાન ખાન આજે નેશનલ અસેંબલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર થયા છે. આ તમામની વ્ચચે જિલ્લા પ્રશાનસે ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.