કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનને દુનિયાભરમાંથી નિરાશા જ મળી છે, પરંતુ પાકિસ્તાનના મંત્રી હજુ પણ ખોખલી ધમકીઓ આપી રહ્યા છે. પોતાના પોકળ નિવેદનો માટે પ્રખ્યાત પાક.ના સાઇન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને એકવાર ફરી ભારતને ધમકી આપી છે.
ફવાદ હુસૈને કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર ભારત માટે પોતાના એરસ્પેસને પૂર્ણ રીતે બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે. હુસૈને ટ્વિટ કરતા કહ્યું કે, 'આ મોદીએ શરૂ કર્યું હતું, પરંતુ તેને ખતમ અમે કરીશું.'
પાકિસ્તાનના મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કહ્યું છે કે પીએમ ઇમરાન ખાને ભારત માટે પાકનું એરસ્પેસને પૂર્ણ રીતે બંધ કરવા પર વિચાર કરી રહ્યો છે. હુસૈને કહ્યું, 'અફઘાનિસ્તાનમાં વ્યાપાર કરવા માટે ભારત પાકિસ્તાનના જે રસ્તાનો ઉપયોગ કરે છે, એને પણ પૂર્ણ રીતે બંધ કરવા પર વિચાર કરી કરવામાં આવી રહ્યો છે. કેબિનેટ મીટિંગમાં આ તમામ નિર્ણયોના કાનૂની પહેલુઓ પર સલાહ સૂચન લેવાઇ રહ્યા છે. મોદીએ તેની શરૂઆત કરી છે, ખતમ અમે કરીશું.'
પરમાણુ ધમકીની વચ્ચે પાક એરસ્પેસથી આવ્યા મોદી
જે સમયે પાકિસ્તાનના વડાપ્રધાનના 'રાષ્ટ્રને સંબોધન' બાદ દેશભરમાં 'પરમાણુ યુદ્ધ'ને લઇને ચર્ચા જોર પકડી રહ્યા હતા, એ સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ધમકીઓને ધ્યાને ન આપતા પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રથી ભારત પાછા ફર્યા. પીએમ મોદી સોમવારે રાત્રે જ ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા હતા.
પહેલા પણ એર સ્પેસ બંધ કરી ચૂક્યું છે પાક
આપને જણાવી કે, પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે પોતાના એર સ્પેસ બંધ કરવું કોઇ નવી વાત નથી. પુલવામા હુમલા બાદ જ્યારે ભારતે પાકિસ્તાનમાં ઘુસી બાલાકોટમાં એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. ત્યારે પણ પાકિસ્તાને ભારત માટે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધા હતા.