જ્યારે ભારત લદ્દાખમાં ચીનની સાથે થયેલ હિંસક અથડામણ બાદ વિવાદ ઉકેલવામાં વ્યસ્ત છે તો પાકિસ્તાન આને બાંગ્લાદેશમાં મોકાની રીતે ઉપયોગ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક એવી બેઠક થઇ જેને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, આ ભારતની પૂર્વ બોર્ડર પર બનેલી સ્થિતિને બદલાવની ક્ષમતા રાખે છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે આ પ્રકારની બેઠક થવી સામાન્ય વાત નથી
ઢાકા અને બીજિંગની પણ નિકટતા વધી
પાકિસ્તાન પણ બાંગ્લાદેશમાં રાજકીયરીતે વધુ સક્રિય નજરે આવી રહ્યું
ઢાકામાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત ઇમરાન અહમદ સિદ્દીકીએ બે અઠવાડિયા પહેલા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેનથી મુલાકાત કરી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે આ પ્રકારની બેઠક થવી સામાન્ય વાત નથી. ઢાકાના એક વરિષ્ઠ પત્રકારે તુર્કીની એનાડોલુ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, પહેલા પાકિસ્તાની રાજદૂત ક્યારેક જ અમારા વરિષ્ઠ અધિકારીઓને મળતા હતા અને તેઓ પણ ત્યારે જ્યારે બાંગ્લાદેશ કોઇ મુદ્દા પર વિરોધ દાખલ કરાવવા માટે તેમને સમન્સ કરતું હતું.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ મુલાકાતને લઇને કોઈ નિવેદન જાહેર નથી કર્યું. ત્યારે, પાકિસ્તાનના ઉચ્ચાયુક્તે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો અને કહ્યું કે, તેમણે બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારની આશા છે. ત્યારે, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલાયના એક અધિકારીએ એનાડોલુ એજન્સીને કહ્યું કે, આ એક સામાન્ય મુલાકાત હતી. પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત ઘણા લાંબા સમયથી આ બેઠકની માંગ કરી રહ્યા હતા.
બાંગ્લાદેશ ભારત માટે વિશ્વાસપાત્ર મિત્ર રહ્યું છે પરંતુ...
જોકે, પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે જે સમયે આ બેઠક થઇ છે, તે બિલકુપ પણ સામાન્ય નથી. એક તરફ ભારત કોરોનાની મહામારીથી જજૂમી રહ્યું છે તો બીજી તરફ, ચીન, શ્રીલંકા અને નેપાળ જેવા પાડોશી દેશોની સાથે સંબંધ તણાવપૂર્ણ ચાલી રહ્યું છે. શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશ ભારત માટે વિશ્વાસપાત્ર મિત્ર રહ્યું છે પરંતુ ચીન અને પાકિસ્તાન અહીં પણ ચાલાકીથી પોતાના ડગલા આગળ વધારવાની ફિરાકમાં છે.
ઢાકા અને બીજિંગની પણ નિકટતા વધી
છેલ્લા કેટલાક મહિનાઓથી ઢાકા અને બીજિંગની પણ નિકટતા વધી છે. ચીને બાંગ્લાદેશી ઉત્પાદનોને ડ્યૂટી ફ્રી કરી દીધું છે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેટલાક પ્રોજેક્ટમાં પણ રોકાણ કરી રહ્યું છે. ચીન બાંગ્લાદેશને કોરોના વાયરસની લડાઈમાં પણ મેડિકલ જરૂરિયાત દ્વારા મદદ કરી રહ્યું છે. બાંગ્લાદેશ ચીનની મહત્વાકાંક્ષી પરિયોજના બેલ્ટ એન્ડ રોડમાં પણ સામેલ થઇ ચૂક્યું છે જ્યારે ભારત આનો વિરોધ કરતું રહ્યું છે. ત્યાં સુધી કે ભારત અને ચીન વચ્ચે જ્યારે લદ્દાખમાં હિંસક અથડામણ થઇ તો બાંગ્લાદેશ તરફથી કોઈ નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું. બાંગ્લાદેશે હિંસક અથડામણમાં માર્યા ગયેલા ભારતીય જવાનોને લઇને સંવેદના પણ વ્યક્ત નહોતી કરી.
પાકિસ્તાન પણ બાંગ્લાદેશમાં રાજકીયરીતે વધુ સક્રિય નજરે આવી રહ્યું
કેટલાક વિશ્લેશકોનું કહેવું છે કે, હવે પાકિસ્તાન પણ બાંગ્લાદેશમાં રાજકીયરીતે વધુ સક્રિય નજરે આવી રહ્યું છે. ઢાકામાં કેટલીક વસ્તુઓ ઝડપથી બદલાતી નજરે આવી રહી છે. જાન્યુઆરી મહિનામાં સિદ્દીકી બાંગ્લાદેશમાં પાકિસ્તાની ઉચ્ચઆયોગના પદ પર નિયુક્ત હતા. આ પદ અંદાજિત 20 મહિના સુધી ખાલી જ પડ્યું હતું કારણ કે બાંગ્લાદેશ તંત્રએ પાકિસ્તાન તરફથી નિમાયેલા સૈયદ સૈકલિનની નિમણૂંકને મંજૂરી નહોતી આપી. સિદ્દીકી બાંગ્લાદેશમાં પહેલા પણ પોતાની સેવા આપી ચૂક્યા છે.
જોકે, કેટલાક સૂત્રોનું કહેવું છે કે, બાંગ્લાદેશ સિદ્દીકીના નામ પર સહમતિ આપવી પણ મુશ્કેલી આપનાર હતી. સિદ્દીકી જ્યાર્થી ઉચ્ચ આયોગ બન્યા છે, ત્યારથી બાંગ્લાદેશમાં પાકિસ્તાન વધુ સક્રિયા થઇ ગયું છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધો કેટલાક વર્ષોથી તણાવપૂર્ણ રહ્યા છે. બન્ને દેશ આજે પણ 1971ના યુદ્ધની કડવી યાદોથી બહાર નથી નિકળી શકતા. 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાન સાથે પૂર્વ પાકિસ્તાન ટૂટીને એક નવા દેશ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. જેમાં ભારતે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં ત્યારે વધુ તિરાડ પડી ગઇ જ્યારે...
જોકે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં ત્યારે વધુ તિરાડ પડી ગઇ જ્યારે કેટલાક વર્ષો પહેલા શેખ હસીનાની સરકારે 1971માં યુદ્ધ ગુનાઓના આરોપમાં બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના કેટલાક નેતાઓને ફાંસી પર લટકાવી દેવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાને આને લઇને ઘોર આપત્તિ દાખલ કરાવી હતી અને આને ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે 1974માં થેયલા ત્રિપક્ષીય કરારને ઉલ્લંઘન કરાર આપ્યો હતો. બાંગ્લાદેશ ઇસ્લામાબાદના ત્રણ અદિકારીઓ પર ઇસ્લામિક ઉગ્રવાદીઓથી જોડાયા હોવાના આરોપ લગાવતા તેમને પાકિસ્તાન પરત ફરવા માટે પણ મજબૂર કરી દીધા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, ક્ષેત્રમાં નવી ઘટનાક્રમોને પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથે પોતાના સંબંધો સુધારવાનો વધુ એક મોકો આપ્યો છે. પાકિસ્તાની ઉચ્ચ આયોગની બાંગ્લાદેશના વિદેશ મંત્રીની સાથે થયેલી મુલાકાતને લઇને પાકિસ્તાની મીડિયામાં પણ ચર્ચા થઇ રહી છે. પાકિસ્તાની સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના એક અધિકારીના હવાલાથી લખ્યું છે, આ બેઠકને લઇને આના માટે વધુ હોબાળો નથી મચાવવામાં આવી રહ્યો કારણ કે કેટલીક બહારની તાકાતો પાકિસ્તાનના બાંગ્લાદેશની સાથે સંબંધો સુધારવાના પ્રયત્નોમાં ખલેલ પહોંચાડી શકે છે.
બાંગ્લાદેશ ભારતના બદલે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર જોર આપી રહ્યું છે
કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં પાકિસ્તાનને દુશ્મન તરફથી જોવા મળી રહ્યું છે. પરંતુ ત્યાં પણ કેટલાક એવા સમૂહ છે જે ઇતિહાસ અને ધર્મનો હવાલો આપતા પાકિસ્તાન પ્રત્યે વફાદાર છે અને તેમના માટે સહાનુભૂતિ રાખે છે. પાકિસ્તાન સમર્થક આ લૉબીએ બાંગ્લાદેશની વિદેશ નીતિને પ્રભાવિત કરવાના તમામ પ્રયત્નો કર્યા છે અને ભારતના બદલે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર જોર આપી રહ્યું છે. જોકે, ચિંતાની વાત કરી છે આ લૉબી આજકાલ બહુ જ સક્રિય થઇ ગઇ છે. કુછ ભારતીય વિશ્લેષકોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં બદલાતા રાજકીય લેન્ડસ્કેપમાં આ બેઠક ઘણુ મહત્વ ધરાવે છે. એક સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાન સમર્થક આ સમૂહની હાજરી વિશે દરેકને જાણ છે પરંતુ હવે આને રાજકીય તાકાત પણ એકઠી કરી લીધી છે અને નીતિ બદલવામાં પણ સમક્ષ થઇ ગઇ છે.
ઢાકાના કેટલાક સૂત્રોનું કહેવું છે કે, એક વેપારીના નેતૃત્વવાળા આ પાકિસ્તાન સમર્થક લૉબીને શેખ હસીનાનો પણ ભરોસો મળેલ છે અને તેમની પહોંચ સીધી પ્રધાનમંત્રી સુધી છે. આ સમૂહની સત્તારૂઢ પાર્ટી અવામી લીગના એક જૂથ પર પણ પોતાનો પ્રભાવ બનાવી લીધો છે જેમાં નવી પેઠીના નેતા સામેલ છે.
બીજી તરફ, ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં કેટલાક મુદ્દાઓને લઇને અંતર વધ્યું છે. ભારતમાં ગત વર્ષ નાગરિક્તા (સંશોધન) કાયદો પાસ કર્યો જેનો બાંગ્લાદેશે ખૂબ વિરોધ કર્યો હતો. ત્યાં સુધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશનો પ્રવાસ પણ રદ્દ કરવો પડ્યો હતો. નાગરિકતા કાયદા હેઠળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાર અને બાંગ્લાદેશના નોન-મુસ્લિમ અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવા જોગવાઈ કરવામાં આવી છે.
જો તે હિન્દુઓના ઉત્પીડનની વાત કહી રહી છે, તે ગેર-જરૂરી અને ખોટું છે
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર અત્યાચારના આરોપ પર વિદેશ મંત્રી મોમેને કહ્યું હતું કે, જો તે હિન્દુઓના ઉત્પીડનની વાત કહી રહી છે, તે ગેર-જરૂરી અને ખોટું છે. સમગ્ર દુનિયામાં એવા દેશમાં ઓછા જ છે જ્યાં બાંગ્લાદેશ જેવા સાંપ્રદાયિક સૌહાર્દ છે. આપણે ત્યાં કોઈ અલ્પસંખ્યક નથી. આપણે સૌ બરાબર છે. એક પાડોશી દેશના નાતે અમને આશા છે કે ભારત એવું કંઇ નહીં કરે જેનાથી આપણી મિત્રતાના સંબંધો ખરાબ થાય.
મોમેને કહ્યું હતું કે, ધર્મના આધાર પર નાગરિકતાના આ કાયદાથી ભારતનું સેક્યુલર પક્ષ નબળો થશે. મોમેને કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં અમારી સરકારમાં અલ્પસંખ્યકોનું કોઇ ઉત્પીડન નથી થયું. હાં, એ સાચું છે કે સૈન્ય શાસન અને અન્ય સરકારોના કાર્યકાળમાં અલ્પસંખ્યકોનું નાના સ્તર પર ઉત્પીડન થયું છે. 2001માં અલ્પસંખ્યકોના સાથે અમારી પાર્ટીના કાર્યકર્તાઓનું પણ ઉત્પીડન થયું છે. વિદેશ મંત્રી મોમેને એ પણ કહ્યું હતું કે, ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાના હિત માટે એનઆરસીમાં બાંગ્લાદેશનું નામ લઇ રહી છે.
એનઆરસી અને નાગરિકતા કાયદાને ભારત-બાંગ્લાદેશના સંબંધો પર ખરાબ અસર સર્જે છે, ત્યારે પાકિસ્તાન અને ચીનથી બાંગ્લાદેશની નિકટતા પણ ચિંતાજનક છે. ઢાકાના એક સૂત્રએ કહ્યું કે, જો આ ઝડપથી વસ્તુઓ નવો આકાર લેતી રહેશે તો આપણા દેશમાં બહુ કંઇક બદલી જશે. નિશ્ચિત રીતે આની અસર ભારતની સાથે આપણા સંબંધો પર પણ પડશે.