પાકિસ્તાનમાં આર્મી જ દેશ માટે સર્વોપરી છે. પાકિસ્તાની આર્મી દેશ ચલાવે છે એવું કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. ત્યારે ઈમરાન ખાને પાકિસ્તાની સેનાને રોકડુ પકડાવ્યું છે. જાણો ઈમરાન ખાન કેમ નથી ડરતા પોતાના સૈન્યથી. એવું તો શું કહી દીધું ઈમરાને આર્મીને...
ગુપ્તચર એજન્સીઓને પણ ખબર છે કે હું શું કરી રહ્યો છું.
ભ્રષ્ટાચારમાં ડૂબેલા લોકોને સેનાનો ડર હતો
હું દિવસ રાત મહેનત કરી રહ્યો છું, સેનાથી નથી ડરતો
સરકારની સ્થિરતાને સ્પષ્ટ કરતા કહ્યું કે
ઈમરાન ખાને પોતાની આર્મીને ચેલેન્જ કરતા કહ્યું કે ઈમાનદારીથી કામ કરુ છું એટલા માટે ડરતો નથી. પ્રધાનમંત્રી ઈમરાને પોતાની સરકારની સ્થિરતાને સ્પષ્ટ કરતા કહ્યું કે સરકાર નથી જઈ રહી. તેમણે કહ્યું કે એજન્સીઓને ખબર છે શું થઈ રહ્યું છે? અને આજ કારણ છે કે ભ્રષ્ટાચારમાં ડૂબેલા લોકોને સેનાનો ડર હતો.
હું દિવસ રાત મહેનત કરી રહ્યો છું, સેનાથી નથી ડરતો
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુક્રવારે કહ્યું કે સેના સારી રીતે જાણે છે કે ન તો તે પૈસા કમાઈ રહ્યાં છે ન ભષ્ટ છે. તેઓએ કહ્યું હતું કે તે દિવસ રાત મહેનત કરી રહ્યાં છે પણ સેનાથી નથી ડરતા.
ગુપ્તચર એજન્સીઓને પણ ખબર છે કે હું શું કરી રહ્યો છું
ઈમરાને સરકારની સ્થિરતાને સ્પષ્ટ કરતા કહ્યું કે સરકાર નથી જઈ રહી. તેમણે એમ પણ કહ્યું હતું કે એજન્સીઓને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે. આજ કારણોસર ભ્રષ્ટાચારીઓને સેનાનો ડર હતો. તેમણે એમ પણ કહ્યું હતુ કે ભ્રષ્ટ્રાચારી નથી એટલે સેના મારી સાથે છે. સરકાર અને સેના વચ્ચે કોઈ તણાવ નથી. ગુપ્તચર એજન્સીઓને પણ ખબર છે કે હું શું કરી રહ્યો છું.
મોલાના વિરુદ્ધ તપાસની માંગ પણ કરી હતી
તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર વિરુદ્ધ કાવતરુ ઘટવા માટે JUI-Fના પ્રમુખ મૌલાના ફજલુર રહમાનની વિરુદ્ધ સંવિધાન કલમ 6 હેઠળ રાજદ્રોહ લાગુ પડવો જોઈએ. તેમણે મોલાના વિરુદ્ધ તપાસની માંગ પણ કરી હતી.