બાલાકોટ એરસ્ટ્રાઈક (Balakot Airstrike) બાદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોએ હવે તેમના ટ્રેનિંગ કેમ્પ (tranning camp) ના સ્થળ બદલી નાખ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાએ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ હવે હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન જેવા કટ્ટરવાદી સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે.
બાલાકોટ એરસ્ટ્રાઈક (Balakot Airstrike) બાદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોએ હવે તેમના ટ્રેનિંગ કેમ્પ (tranning camp) ના સ્થળ બદલી નાખ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાએ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ હવે હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન જેવા કટ્ટરવાદી સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે, જૈશ અને લશ્કરના આતંકીઓએ અફઘાનિસ્તાનના કંદહાર અને કુનાર સહિતના ઈન્ટરનેશનલ બોર્ડર નજીકના વિસ્તારોમાં પોતાના ટ્રેનિંગ કેમ્પ ધમધમતા કર્યા છે. સૂત્રોનો દાવો છે કે, બાલાકોટ એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે આતંકીઓ આ સ્થળો પર ખતરનાક ટ્રેનિંગ લઈ રહ્યા છે. કંદહારમાં ભારતીય દૂતાવાસ પર આતંકી હુમલાની આશંકા બાદ હાઈએલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને આતંકી કેમ્પોને તબાહ કરી દીધા હતા. હુમલા બાદ સતત વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણનાં કારણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનના તાલિબાનના વર્ચસ્વવાળા વિસ્તારોમાં શરણ લેવા લાગ્યા હતા અને ધીમે ધીમે ત્યાં કેમ્પો શરૂ કર્યા હતાં.
અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ થોડા સમય પહેલાં જલાલાબાદથી જૈશના બે આતંકીઓ સિદ્દિક અકબર અને અતાઉલ્લાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, જૈશ અને લશ્કર હવે અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કેમ્પ ચલાવી રહ્યાં છે.
સૂત્રોનો એવો પણ દાવો છે કે, ફાઈનૅન્શિયલ એક્શન ટાસ્ક ફૉર્સ (એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાંથી બચાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો હવે તેમના લોકેશન બદલી રહ્યાં છે. સુરક્ષા એજન્સીઓનાં જણાવ્યાં અનુસાર, બાલાકોટ એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે આ સંગઠનો હાલ તેમના આતંકીઓને આધુનિક હથિયારો ચલાવવાની તાલીમ આપી રહ્યાં છે.