પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કરતારપુર કોરિડોરને પાકિસ્તાનનું એક ષડયંત્ર ગણાવ્યું. પાકિસ્તાનના નિર્ણયને ત્યાંની સેના અને ISIનું ષડયંત્ર ગણાવ્યું. કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે પંજાબમાં ફરીથી ખાલિસ્તાની મૂવમેન્ટ અને આતંકવાદને ફરી સક્રીય કરવા માટે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનો દુરઉપયોગ કરી શકે છે.
સીએમ કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે કરતારપુર કોરિડોર સ્પષ્ટરૂપે ISIની એક ગેમ પ્લાન છે. જેમાં પાકિસ્તાન દ્વારા ભારત વિરૂદ્ધ રચવામાં આવેલું મોટુ ષડયંત્ર નજરે પડી રહ્યું છે.
પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઈમરાન ખાનના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ પહેલાં જ નવજોતસિંહ સિદ્ધૂ સામે કરતારપુર કોરિડોર ખોલવાની વાતનો ખુલાસો કર્યો હતો.
પાકિસ્તાન પંજાબમાં ફરી આતંકવાદને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી પાકિસ્તાનના આ નિર્ણય પર લોકોએ નજર રાખવી પડશે.
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ફરી એકવખત નવજ્યોત સિંહ સિદ્ધુ પર વાર કર્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે નવજ્યોત સિંહ સિદ્ધુને મે પાકિસ્તાન જતા રોક્યા હતા પરંતુ ઇમરાન ખાન સાથેના પોતાના સંબંધોના કારણે નવજ્યોતિસિંહ સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કરતારપુર કોરિડોરના મુદ્દે અકાલી દળ અને ભાજપ નવજ્યોત સિંહ સિદ્ધુને લઇને ખોટો મુદ્દો બનાવી રહી છે.