ઇસ્લામાબાદ: પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે કુલભૂષણ જાધવની પત્નીના જૂતા એટલા માટે પાછા અપવામાં નથી આવ્યા કારણ કે તેમાં જાસૂસીમાં મદદ કરવાવાળો કેટલોક સામાન હોય શકે છે.
પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટ્રીની તરફથી કહેવામાં આવ્યું છે કે ત્યાંની તપાસ એજન્સીઓ જૂતાઓની તપાસ કરી રહી છે. કુલભૂષણ બે વર્ષની પાકિસ્તાનની જેલમાં છે અને તેની સાથે મુલાકાત કરવા ગયેલી જાધવની માતા અને ગેરવર્તણૂક કરી હતી. જાધવની પત્નીનું મંગળસૂત્ર બંગડીઓ અને જૂતાઓ ઉતરાવી દીધા હતા. તેમને જૂતાઓ પાછા આપવામાં આવ્યા ન હતા.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયએ ભારત દ્વારા લગાવવામાં આવેલા કુલભૂષણની માતા અને પત્નીની સાથે ખરાબ વર્તણૂંકના આરોપ પર પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન કારણ વગરની બબાલમં સામેલ થવા માંગતુ નથી ભારતના પાયા વિહોણા આરોપો અને છેડતી કરેલા આરોપોને ફગાવે છે.