કાશ્મીર મુદ્દા પર કૂટનીતિક મોરચે ખરાબ રીતે અસફળ રહ્યા બાદ હવે પાકિસ્તાનની સરકાર કાશ્મીરીઓના નામ પર લોકોને રસ્તાઓ પર ઉતરવાની અપીલ કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે તમામ પાકિસ્તાનીઓને અપીલ કરતા કહ્યું કે કાશ્મીરીઓની સાથે એકજુટતા દેખાડવા માટે શુક્રવારે બપોરે 12 વાગ્યે આયોજિત 'કાશ્મીર ઓવર'માં જરૂર ભાગ લે.
ઇમરાન ખાને ટ્વિટર પર કહ્યું, 'હું તમામ પાકિસ્તાનીઓને આવતી કાલે 12 વાગ્યાથી 12.30 વાગ્યાની વચ્ચે ઘરોથી બહાર નીકળવાની અપીલ કરું છું જેથી કાશ્મીરીઓને સંદેશ આપી શકાય કે પાકિસ્તાન તેમની સાથે ઉભુ છે.'
'અડધા કલાક માટે રસ્તો પર ઉતરો'
ઇમરાન ખાને કહ્યું કે, આપણે કાશ્મીરીઓને મજબૂત સંદેશો આપવાની જરૂર છે કે આપણું રાષ્ટ્ર તેમની સાથે ઉભું છે. તેથી કાલે હું તમામ પાકિસ્તાનીઓને અડધો કલાક તમામ કામ છોડીને રસ્તાઓ પર ઉતરવાની અપીલ કરું છું જેથી કાશ્મીરીઓની સાથે એકજુટતા દેખાડી શકાય.
પાકિસ્તાનમાં વાગશે સાયરન, રાષ્ટ્રગાન
પાકિસ્તાનમાં શુક્રવારે 'કાશ્મીરીઓની સાથે એકજુટતા' માટે ઉજવવામાં આવનાર 'કાશ્મીર ઓવર'ને સફળ બનાવવાનું અભિયાનમાં પાકિસ્તાની શોબિજના સભ્ય પણ કુદી પડ્યા છે. આ કાર્યક્રમમાં લોકોને ભાગીદારીની અપીલ કરી છે.
પાકિસ્તાન સરકારે એલાન કર્યું છે કે આ અભિયાન હેઠળ શુક્રવારે બપોરે 12થી 12.30 વચ્ચે સાયરન વાગશે. દેશનું રાષ્ટ્રગાન વાગશે. પાંચ મિનિટ માટે ટ્રાફિક રોકી દેવામાં આવશે અને લોકો જ્યાં પણ હશે, ત્યાં ત્રણ મિનિટ ઉભા થઇને કાશ્મીરીઓને એકજુટતા બતાવશે. ખુદ વડાપ્રધાન પોતાની ઓફિસની બહાર એક પ્રદર્શનનું નેતૃત્વ કરશે. 'એક્સપ્રેસ ન્યૂઝની એક રિપોર્ટ અનુસાર, આ અભિયાનને પાકિસ્તાનના ફિલ્મી અને ટીવી સ્ટાર તથા અન્ય કલાકારોને સમર્થન આપ્યું છે.