પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, સિંધુ જળ આયોગ સૈયદ મેહર અલી શાહના નેતૃત્વમાં અમેરિકા ગયેલ પ્રતિનિધિમંડળ વાતચીત દરમિયાન 1960ની સંધિ પર સમગ્ર રીતે અમલ માટે ઉપાય કરવા પર ભાર આપશે.
પ્રતિનિધિમંડળ પાંચ દિવસ અમેરિકા રહેશે. આ દરમિયાન તેઓ ભારતની બે જળવિદ્યુત પરિયોજનાઓ, કિશનગંગા અને રાતલેની ડિઝાઇન પર પોતાની ચિંતાઓના ઉકેલ માટે ટ્રિબ્યુનલની રચનાની માંગ ઉઠાવશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને ભારત દ્વારા બનાવવામાં આવી રહેલ 330 મેગાવૉટની કિશનગંગા અને 850 મેગાવોટની રાતલે જળવિદ્યુત પ્લાન્ટ કરાર વિરૂદ્ધ છે.
ભારતે પાકિસ્તાનની સાથે તણાવ વધ્યા બાદ પોતાના ભાગનું પાણીને પાકિસ્તાન જવાથી રોકવાનું શરૂ કરી દીધું છે. પહેલા આ પાણી વગર કોઇ અટકાયતે પાકિસ્તાનને મળી જતું હતું.