પાકિસ્તાનના ખૈબર ખખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના પર થયેલા આતંકી હુમલામાં એક આર્મી કેપ્ટન સહિત 12 જવાનોના મોત થયા છે.
ખૈબર ખખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના પર આતંકી હુમલો
આર્મી કેપ્ટન સહિત 12 જવાનોના મોત
પાક. સેનાએ ઓપરેશન શરુ કરતા આતંકીઓ ગિન્નાયા
હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત પણ માર્યા ગયા છે. તથા 15 જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ કેટલાક જવાનોને પણ બંધક બનાવ્યા હતા. આ હુમલા પાછળ તહેરીક એ તાલિબાન પાકિસ્તાનનો હાથ હોવાની શક્યતા જોવાઈ રહી છે.
પાક. સેનાએ ઓપરેશન શરુ કરતા આતંકીઓ ગિન્નાયા
પાકિસ્તાની સેના ખુરમ વિસ્તારમાં ટીટીપીના આતંકવાદીઓની સામે ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. પાકિસ્તાની સેના જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ટીપીપીના આતંકવાદીઓ જોરદાર હુમલો કરી દીધો હતો.
આતંકીઓએ 6 ટેલિકોમ ઓપરેટર્સને પણ બંધક બનાવી લીધા છે.
પાકિસ્તાનમાં ટીટીપીના હુમલા નવી વાત નથી. આ આતંકી સંગઠનની શરુઆત ડિસેમ્બરમાં 2007 માં 13 આતંકી જૂથોએ કરી હતી. ટીટીપીનો ઉદ્દેશ પાકિસ્તાનમાં શરિયા પર આધારિત એક કટ્ટરપંથી ઈસ્લામી શાસનનું રાજ લાવવાનો છે. આ અફઘાનિસ્તાના તાલિબાનથી જુદા છે. જોકે આ સંગઠન તાલિબાની વિચારધારાનું સમર્થન કરે છે. ટીટીપીએ સૌથી મોટો હુમલો 2014 માં પેશાવરની આર્મી સ્કૂલ પર કર્યો હતો આ હુમલામાં 200 બાળકોના મોત થયા હતા.