વેતનમાં વધારાના મુદ્દાને લઇને યૂનિયનો અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશનની વચ્ચે સહમતિ બની શકી નથી. ત્યારબાદ 10 લાખથી પણ વધારે બેંક કર્મચારી 30 મે થી હડતાળ પર છે. એમની હડતાળ બે દિવસ ચાલશે. એનાથી બેકિંગ વ્યવસ્થા ઠપ થઇ શકે છે.
બેંક યૂનિયન AIBOCના જનરલ સેક્રેટરીએ કહ્યું કે અમે હડતાળને લઇને આઇબીએ ને 25 દિવસ પહેલા જ નોટિસ આપી હતી પરંતુ આઇબીએ આ દરદમિયાન બેંક કર્મચારીઓની સાથે સમજૂતી કરવામાં નિષ્ફળ રહ્યું. એમને કહ્યું કે બેંક કર્મચારીઓને એમની મહેનતના બદલામાં ફાયદો મળી રહ્યો નથી.
બેંક કર્મચારી યૂનિયનોના હડતાળ પર જવાની અસર બેકિંગ સેવાઓ પર જોવા મળશે. ભારતીય સ્ટેટ બેંક સહિત અન્ય ઘણી બેંકોનું કહેવું છે કે જો કર્મચારીઓની આ હડતાળ પર જાય છે તો એમના કારણે એમની બેકિંગ સેવાઓ અડચણ આવી શકે છે.
વાસ્તવમાં યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનને 30 અને 31 મે હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ લોકો એમના નજીવા વધારાના પ્રસ્તાવના વિરોધમાં આ આંદોલન કરી રહ્યા છે.
એનાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 30 અને 31 મે ની હડતાળના કારણે મોટાભાગની સરકારી બેંકોમાં બેકિંગ સેવાઓને લઇને સમસ્યા આવી શકે છે.
બેંક યૂનિયનો પ્રમાણએ ઇન્ડિયન બેંક્સ એસોસિએશને એમના વેતનમાં 2 ટકાના વધારાનો પ્રસ્તાવ રાખ્યો છે. એમનું કહેલું છે કે આ ના બરાબર છે. એ વિરોધમાં એની હડતાળ છે.